દિલ્હી હિંસા બાદ પોલીસ સતત લોકોની સખત સુરક્ષા - વ્યવસ્થાનું આશ્વાસન આપી રહી છે. જોકે રવિવારે સાંજે એક એવી ઘટના બની કે તેમનું આશ્વાસન લોકોની અંદરના ભયને ભગાડી નથી શક્યું. લોકો હજું પણ ડરેલા છે. રવિવારે સાંજે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ફરી હિંસાની અફવા ફેલાઈ ગઈ હતી. સલામતીના ભાગ રુપે ઝડપથી દિલ્હી મેટ્રોના 7 સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં . લોકોની વચ્ચે આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા કે રાજૌરી ગાર્ડન, ખ્યાલા સહિત કેટલાય વિસ્તારોમાં હિંસા ભડકી છે. કેટલાય લોકોએ ફાયરિંગ કર્યાની વાત પણ કરી. આ બાદ લોકો અચાનક ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા. ત્યારે એ સમજવુ જરુરી છે કે આ અફવા કેમ ફેલાઈ.
દિલ્હી પોલીસે સટ્ટોડિયાને પકડવા ગઈ હતી
સટ્ટોડિયા ભાગ્યાને લોકોને થયું કે હિંસા ભડકી
અફવા વાયુવેગે ફેલાઈ, પોલીસ મુશ્કેલીમાં મુકાઈ
સટ્ટોડિયા ભાગ્યાને લોકોને થયું કે હિંસા ભડકી
આ ઘટના અંગે દિલ્હી પોલીસે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે અમને જાણકારી મળી છે કે પ. દિલ્હીના ખ્યાલ વિસ્તારમાં પોલીસે સટ્ટાબાજોના ઠેકાણા પર રેડ પાડવા પહોંચી છે. ત્યારે અહીં હાજર સટ્ટોડિયા ભાગવા લાગ્યા હતા. લોકોએ જેવા તેમને ભાગતા જોયા કે સ્થાનીકોને લાગ્યું કે અહીં હિંસા ફેલાઈ છે. તેમજ તેના આસપાસના વિસ્તારોમાં પણ આ સમાચાર વાયુ વેગે ફેલાયા કે હિંસા ભડકી છે.
અફવા ફેલાવવામાં આવી હતી
એ બાદ વેસ્ટ દિલ્હીના રઘુવીર નગર, ખ્યાલા ઉત્તમ નગર, તિલક નગરમાં દુકાને બંધ થઈ ગઈ. મોલમાં પણ અફરા તફરીનો માહોલ ઉભો થયો. જો કે આ અફરા તફરીના માહોલ વચ્ચે પોલસી તાત્કાલિક રોડ પર પેટ્રોલિંગ માટે ઉતરી ગઈ હતી. તેમણે લોકોને સમજાવ્યા તેમજ તકેદારીના ભાગ રુપે તિલક નગર સહિત 7 મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા હતા. જેમાં નાંગલોઈ, સુરજમલ સ્ટેડિયમ, બદરપુર, તુગલકાબાદ, ઉત્તમ નગર પશ્ચિમ અને નવાદા બંધ કરવામાં આવ્યા હતા. જોકે થોડી વારમાં તે ખોલી દેવામાં આવ્યાં હતા.
અફવા વાયુવેગે ફેલાઈ, પોલીસ મુશ્કેલીમાં મુકાઈ
ઉલ્લેખનીય છે કે પોલીસે સબ સલામત છે કહી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી હતી કે અફવાઓ પર ધ્યાન ન આપે. પરિસ્થિતીને જોવા પોલીસે આખી રાત પેટ્રોલિંગ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસાને પગલે પોલીસ સતત ખડે પગે છે.