દિલ્હી / પોલીસની આ કામગીરીને પગલે દિલ્હીવાસી ફરી ભયના ઓથાર હેઠળ આવ્યા હતા

Delhi violence updates know what led to rumours of tensions in west delhi

દિલ્હી હિંસા બાદ પોલીસ સતત લોકોની સખત સુરક્ષા - વ્યવસ્થાનું આશ્વાસન આપી રહી છે. જોકે રવિવારે સાંજે એક એવી ઘટના બની કે તેમનું આશ્વાસન લોકોની અંદરના ભયને ભગાડી નથી શક્યું. લોકો હજું પણ ડરેલા છે. રવિવારે સાંજે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ફરી હિંસાની અફવા ફેલાઈ ગઈ હતી. સલામતીના ભાગ રુપે ઝડપથી દિલ્હી મેટ્રોના 7 સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યાં . લોકોની વચ્ચે આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા કે રાજૌરી ગાર્ડન, ખ્યાલા સહિત કેટલાય વિસ્તારોમાં હિંસા ભડકી છે. કેટલાય લોકોએ ફાયરિંગ કર્યાની વાત પણ કરી. આ બાદ લોકો અચાનક ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા. ત્યારે એ સમજવુ જરુરી છે કે આ અફવા કેમ ફેલાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ