દિલ્હની રાઉઝ એવન્યુ કોર્ટમાં સરેન્ડર કરવા માટે પહોંચેલા તાહિર હુસૈનને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચ તેની ઓફીસથી કોર્ટમાં લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈનને શોધવામાં ક્રાઈમ બ્રાન્ચ નિષ્ફળ રહી હતી.
તાહિર હુસૈને શરણાગતિની અરજી કરી હતી
ન્યાયાધીશે કહ્યું - આ અરજી પર સુનવણી કરવી એ આપણું જ્યુરિસડિક્શન નથી
ક્રાઇમ બ્રાંચની ટીમે તાહીરની કોર્ટમાંથી ધરપકડ કરી છે
દિલ્હી હિંસા સંબંધિત ત્રણ કેસોમાં આરોપી કાઉન્સિલર તાહિર હુસેનને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે , તાહિરે આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં શરણાગતિ અરજી કરી હતી. આ અંગે ન્યાયાધીશે કહ્યું કે આ અરજી ફગાવી દીધી હતી. આ પછી આ અરજી પર સુનવણી કરવી એ આપણું જ્યુરિસડિક્શન નથી. તાહિરની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
તરત જ તેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
આ પહેલા સરેન્ડર અરજી પર સુનાવણી દરમિયાન તાહિર હુસૈનના વકીલે કહ્યું હતું કે કાંતો કોર્ટ આદેશ આપે અથવા અરજી બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરી દે. ન્યાયાધીશે કહ્યું કે આ અમારુ જ્યુરિસડિક્શન નથી. આ પછી તાહિરે જેવો હું કોર્ટ પાર્કિંગમાં ગયો કે તરત જ તેની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી.
ઇન્ટરવ્યૂ જોઇને ક્રાઈમ બ્રાંચની ટીમ કોર્ટ પહોંચી હતી
એક ન્યૂઝ ચેનલ પર તાહિર હુસૈનનો ઈન્ટરવ્યૂ જોયા બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ દોડતી થઈ હતી. ટૂંક સમયમાં જ ટીમના સભ્યો રાઉઝ એવન્યુ કોર્ટમાં દોડી ગયા હતા. દરમિયાન તાહિર હુસૈન કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેની અરજી પર સુનાવણી થવાની હતી. ન્યાયાધીશે તેમની અરજી પર કહ્યું કે તે અમારો અધિકાર નથી. ત્યારબાદ અરજી નામંજૂર કરવામાં આવી હતી.
તાહિર ઉપર ત્રણ કેસ નોંધાયા છે
તાહિર હુસેન રાઉઝ એવન્યુ કોર્ટના પાર્કિંગ પર પહોંચ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તેને પકડ્યો હતો. હવે તેની પૂછપરછ કરવામાં આવશે. તાહિરનું નામ દિલ્હી હિંસા સાથે જોડાયાવા ત્રણ કેસોમાં નોંધાયેલું છે. ટીમ ઘણા દિવસોથી તેની શોધ કરી રહી હતી, પરંતુ તે ફરાર હતો.
અંકિત શર્માની હત્યાનો આરોપી
તાહિર પર નોંધાયેલા ત્રણ કેસોમાં એક કેસ આઈબીના કર્મચારી અંકિત શર્માનો પણ છે. આરોપ છે કે તાકીર હુસૈનનાં ઘરે અંકિત શર્માની હત્યા કરાઈ હતી. તેના પર છરીઓ વડે અસંખ્ય ઘા કરવામાં આવ્યા હતા. જોકે તે સ્પષ્ટ નથી થયું કે તે સમયે તાહિર સ્થળ પર હતો કે કેમ.
તાહિરે આક્ષેપોને ફગાવી દીધા હતા
સરેન્ડર અરજી દાખલ કર્યા બાદ તાહિર હુસૈને એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. આ સમય દરમિયાન, તેમણે તમામ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું હતું કે હું ડરી ગયો છું, તેથી મેં સકેન્ડર નથી કર્યુ. તેમણે કહ્યું કે હું નિષ્પક્ષ અને પ્રમાણિક તપાસ માટે તૈયાર છું. હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું.