દિલ્હી હિંસાના કેસમાં ફરાર તાહિર હુસૈને કડકડડૂમાં કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. કોર્ટ તેની આગોતરા જામીન અરજી પર સુનવણી હાથ ધરશે. તાહિર હુસૈન સામે એક હત્યાનો આરોપી છે. જે દિલ્હી હિંસા બાદથી નાસતો ભાગતો ફરે છે.
દિલ્હીહિંસાના આરોપી તાહિર હુસૈને કરી આગોતરા જામીન અરજી
IB ના અંકિત શર્માના મોતનો આરોપી છે તાહિર હુસૈન
આજે કોર્ટ જામીન અરજી પર હાથધરશે સુનાવણી
દિલ્હીહિંસાના આરોપી તાહિર હુસૈને કરી આગોતરા જામીન અરજી
તાહિર હુસૈનની આગોતરા જામીન પર કોર્ટમાં આજે સુનવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે તાહિર હુસૈન IBના અંકિત શર્માની હત્યાનો આરોપી છે. અંકિતના પરિવારજનોએ તાહિર હુસૈન સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાહિર હુસૈન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે તેણે આગોતરા જામીન મુકી છે. જેની સુનવણી આજે જજ સુધીર કુમારની અદાલતમાં હાથ ધરવામાં આવશે.
AAPએ આ કેસ દરમિયાન તાહિર હુસૈનને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો
તાહિર હુસૈન સામે ગુનો દાખલ થતાની સાથે જ તાહિર હુસૈન ફરાર થઈ ગયો હતો. ત્યારથી તે નાસતો ફરે છે. બીજી તરફ AAPએ આ કેસ દરમિયાન તાહિર હુસૈનને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાહિર હુસૈન એક સીસીટીવીમાં પણ ગુના દરમિયાન કેદ થયો હતો. તેમજ તેણે પણ હિંસામાં ભાગ ભજવ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. તેના ઘરમાંથી હિંસામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં હતા.
પોલીસે તેની પુછપરછ શરુ કરી દીધી છે
ઉલ્લેખનીય છે કે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે શાહરુખને બરેલીથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાહરુખે હિંસા દરમિયાન 8 રાઉનેડ ફાયરિંગ કર્યુ હતુ. તેમજ તે એક ટોળામાં ગાયબ થઈ ગયો હતો. તેમજ હિંસા બાદ એ સમગ્ર પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની પુછપરછ શરુ કરી દીધી છે.