ઉત્તર -પૂર્વ દિલ્હીની હિંસા અત્યારે પુરી રીતે શાંત થઈ ગઈ છે. ધીરે - ધીરે જનજીવન ફરી થાળે પડી રહ્યું છે. આ વિસ્તારમાં સાફ - સફાઈનું કામ તંત્ર સ્પીડમાં કરી રહ્યું છે. આ સાથે જ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. અત્યારે દિલ્હીમાં હિંસાની કેટલીક કહાની સામે આવી રહી છે. ત્યારે કેટલીક અદમ્ય સાહસના પરિચયની સ્ટોરીઓ પણ સામે આવી રહી છે જેમણે ભીડનો જીવ બચાવ્યો હતો.
70 લોકોના જીવ બચાવ્યા શિખ પિતા- પુત્રએ
આ પિતા -પુત્રએ તેમને બચાવવા શિખ પાઘડી પહેરાવી
હિંસાએ 1984ના રમખાણોની યાદ અપાવી હોવાનું કહ્યું પિતાએ
ટુ- વ્હિલર પર પિતા પુત્રએ કર્યુ એવું કામ કે...
24 ફેબ્રુઆરીએ ગોકુલપુરી વિસ્તારમાં હિંસા ભડકી હતી એ દરમિયાન પિતા-પુત્રની જોડી ચુપચાપ માનવતાનું કામ કરવા લાગ્યા હતા. આવામાં બન્ને બહાદુરીથી વિસ્તારમાં ફેલાયેલા લગભગ 70 મુસલમાનોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને તેમનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોહિંદર સિંહે દિકરાની મદદથી પોતાના ટુ-વ્હિલર પર ગોકુલપુરી બજારમાં મુસલમાન પરિવારોને કર્દમપુરી સુધી પહોંચાડ્યા હતા.
20 ફેરા કરી 70 મુસલમાનોના જીવ બચાવ્યાં
એએનઆઈ સાથે વાત કરતા મોહિંદર સિંહે જણાવ્યું હતું કે, ‘મે અને મારા દિકરાએ હિંસા દરમિયાન લગભગ 60થી 70 મુસલમાનોને શિફ્ટ કર્યા છે. હું મારા સ્કુટર પર હતો અને મારો દિકરો બુલેટ પર. અમે ગોકુલપુરીથી કર્દમપુરી વિસ્તાર સુધી 20 ફેરા લગાવ્યાં છે. એ લોકો ડરેલા હતા. તેમણે ડરને જોયો હતો. એ જોતા અમે તેમને શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.’
મોહિંદરે કહ્યું કે હિંસાએ 1984ના રમખાણોની યાદ અપાવી
હિંસાની એ દિવસોની સ્ટોરી જણાવતા મોહિંદર સિંહે કહ્યું હતું કે, ‘મે 1984ના શિખ વિરોધી રમખાણો જોયા હતા. આ હિંસામાં મને એ દિવસોની યાદ અપાવી દીધી હતી. અમે દાઢીવાળા મુસ્લિમ પુરુષોને પાઘડી આપી જેથી તે ઓળખાય નહીં. ત્યા મહિલાઓ અને બાળકો પણ હતા. અમે સૌથી પહેલા તેમને બહાર કાઢ્યા હતા. ’ તેમણે એમ પણ કહ્યું હતુ કે તેમણે માનવતા માટે આમ કર્યુ હતુ. તેઓને એક ધર્મના વ્યક્તિ તરીકે નહીં પણ એક માણસ તરીકે તેમને જોયા હતા.’