નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને લઇને શરૂ થયેલી હિંસા થમવાનું નામ લઇ રહી નથી. ઉત્તર પૂર્વી દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી ગઇ છે કે એક મહીના માટે કલમ 144 લગાવી દેવામાં આવી છે. જ્યારે હિંસક પ્રદર્શન વાળા 4 વિસ્તારોમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
નોર્થ ઇસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના નામ પર થઇ રહેલી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઇ કાલથી અત્યાર સુધીમાં તોડફોડ અને આગજંપીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જ્યારે નોર્થ ઇસ્ટ દિલ્હીમાં પોલીસે ઉપદ્રવીઓને જોતાની સાથે જ ગોળી મારવાનો આદેશ જારી કર્યો છે.
નોર્થ ઇસ્ટ દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 13 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તેમા શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલનું નામ પણ સામેલ છે. જ્યારે 2 આઇપીએસ ઓફિસરો સહિત 56 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. હિંસાની ઘટનાઓમાં લગભગ 200 લોકો ઘાયલ થયા છે. નોર્થ ઇસ્ટ દિલ્હીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત છે. આજે મંગળવારે ઉપદ્રવીઓએ ઘણા મોટરસાઇકલોને આગને હવાલે કરી દેવામાં આવી.
દિલ્હીમાં હિંસાની સ્થિતિને પગલે ગૃહમંત્રી અમિત શાહે કાલે એટલે કે 26 ફેબ્રુઆરીનો ત્રિવેન્દ્રમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. દિલ્હી પોલીસ મુજબ નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ જાફરાબાદમાં જે મહિલાઓ પ્રદર્શન કરી રહી હતી. તેમને હટાવી દેવામાં આવી છે.
દિલ્હીમાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે હિંસા પ્રભાવિત નોર્થ ઇસ્ટ દિલ્હીમાં બુધવારે પણ સ્કૂલ બંધ રહેશે. CBSEથી પણ કાલની બોર્ડની પરીક્ષા સ્થગિત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
हिंसा प्रभावित नोर्थ-ईस्ट ज़िले में कल भी स्कूल बंद रहेंगे. गृह परीक्षाएँ स्थगित कर दी गई हैं. CBSE से भी कल की बोर्ड परीक्षा स्थगित करने का अनुरोध किया है. https://t.co/VY4t7zjWSo
દિલ્હીમાં આઇપીએસ એસએન શ્રીવાસ્તવને સ્પેશિયલ કમિશનર (લૉ એન્ડ ઑર્ડર) ની નિમણૂક કરવામાં આવી. ડીએમ અજય શંકર પાન્ડેયએ જાણકારી આપી કે દિલ્હી હિંસાને જોતા નોર્થ ઇસ્ટ દિલ્હીથી ગાજિયાબાદની તરફ જતી 3 બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે.
વિજય ભૂષણ, IG લૉ એન્ડ ઓર્ડરે કહ્યું કે દિલ્હીથી જોડાયેલા યુપીના વિસ્તારો ખાસ કરીને નોઇડા, ગાજિયાબાદ, હાપુડ, અલીગઢ, મુઝફ્ફરનગર, સંભલ જેવા જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે કડક બનાવી દેવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઇ છે. ગાજિયાબાદના અપ્સરા બોર્ડરને યૂપી પોલીસે સીલ કરી દીધી છે અને શાહદરાથી સૂર્યા નગરની તરફ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરતા કહ્યું કે ઉપદ્રવીઓને છોડવામાં નહીં આવે. તેઓએ કહ્યું કે અમારી પાસે પર્યાપ્ત સુરક્ષા દળ છે અને MHAને પૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
નોર્થ ઇસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસામાં 10 લોકોના મોત થયા બાદ મૌજપુર, જાફરાબાદ, કરાવલનગર અને ચાંદબાગમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુઘીમાં 13 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે. તેમા શહીદ હેડ કોન્સ્ટેબલ રતનલાલનું નામ પણ સામેલ છે. જ્યારે 2 આઇપીએસ ઓફિસરો સહિત 56 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. દિલ્હી હિંસામાં શહીદ હેડ કોન્સ્ટેબલ રતન લાલની પત્નીને ગૃહ મંત્રી અમિત શાહે પત્ર લખીને સંવેદના દર્શાવી છે.
નાગરિકતા સંશોધન કાયદોની વિરુદ્ધ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં હિંસક પ્રદર્શન બાદ મંગળવારે ગાજિયાબાદમાં પણ કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. ગાજિયાબાદના તમામ દારુની દુકાનોને આજે બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.