દિલ્હી હિંસામાં માર્યા ગયેલા IBના કર્મચારી અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઇ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અંકિત શર્માના શરીર પર છરીના નિશાન હોવાનો ખુલાસો થયો છે. અંકિતના પેટ અને છાતીમાં ચાકૂના નિશાન મળ્યા છે. આખા શરીર પર છરીના અનેક નિશાન છે. તેની હત્યા ક્રુરતાથી કરવામાં આવી.
અંકિત શર્માની હત્યાનો આરોપ આમ આદમી પાર્ટીના પાર્ષદ તાહિર હુસૈન પર છે. ગુરૂવારે તેના વિરૂદ્ધ હત્યા, આગચંપી અને હિંસા ફેલાવવાનો કેસ પણ દાખલ થયો.
અંકિત શર્માના પરિવારે શું કહ્યું?
અંકિત શર્માના પરિવારે તાહિર હુસેનને મોત માટે જવાબાદાર ગણાવ્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, અચાનક પાડોશમાં રહેતા એક પરિવારની મદદ માટે અવાજ સંભળાયો. અવાજ સાંભળીને અંકિત મદદ માટે બહાર આવ્યા.
અંકિતની માતાએ તેમને રોક્યા હતા, પરંતુ તેમના માતાનું ન સાંભળ્યું. અંકિત તે સમયે જે ઘરથી નિકળ્યા પછી પરત ન ફર્યા. ઘરે આવ્યો તો તેમને મૃતદેહ આપ્યો, તે પણ નજીકના નાળામાંથી મળી આવ્યો.
ત્યારે, તાહિર હુસેનનું કહેવું છે કે, અંકિતના મોતથી દુઃખી છું. અંકિતના પરિવાર સાથે છું. હિંસકો કોઇના નથી હોતા. મને નથી ખબર કે ધાબા પરથી કોણ પેટ્રોલ બોમ્બ અને પથ્થ ફેંકી રહ્યું હતું.
આરોપી તાહિર હુસેનની મુશ્કેલી વધી
આ મામલે આરોપી તાહિર હુસેન વિરૂદ્ધ ગુરૂવારે હત્યા, આગચંપી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ થયો. કેસ દયાલપુર સ્ટેશનમાં દાખલ થયો. ત્યારે આમ આદમી પાર્ટીના તાહિર હુસેન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરતા તાહિર હુસેનના ખજૂરી વિસ્તારમાં આવેલ ઘરને સીલ લગાવી દીધું છે. તાહિર હુસેનના ઘરના ધાબા પરથી પથ્થર અને પેટ્રોલ બોમ્બ મળ્યા હતા. આરોપ છે કે અહીંથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.