દિલ્હી હિંસાને લઇ મોટો ખુલાસો થયો છે. હિંસામાં IB અધિકારી અંકિત શર્માની હત્યાને લઇ મોટો ખુલાસો થયો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે અંકિત શર્મા પર છરીથી 12 ઘા કરાયા હતા અને છરી સિવાય રોડ અને પાઇપથી પણ વાર કરાયો હતો. રોડ અને પાઇપથી માથા અને શરીરના ભાગે વાર કરાયો હતો. અંકિત શર્માના શરીર પર ઇજાના 51 નિશાન હતા.
આ ઉપરાંત અંકિત શર્માની હત્યાના આરોપી કુરૈશીએ પૂછપરછમાં પણ ખુલાસો કર્યો હતો કે તેણે છરીથી અંકિત શર્માની હત્યા કરી હતી. આરોપી કુરૈશીની પૂછપરછમાં આ અંગેનો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે હસીન કુરૈશી નામના શખ્સની ધરપકડક કરી છે.
Intelligence Bureau (IB) official Ankit Sharma's (who was killed in Delhi violence last month) postmortem report: An injury was produced by heavy cutting weapon, while rest of the injuries were by blunt force. All injuries were fresh before death. (2/2) https://t.co/5u7qi9uRCt
તેણે ચાંદબાગ પુલિયા પર અંકિતના શરીર પર ચાકૂથી વાર કર્યાનો સ્વીકાર કર્યો છે. કુરૈશીએ કહ્યું કે એ દિવસે અંકિત શર્માની હત્યા કરી તેમને કેનાલમાં ફેંકી દીધા હતા. કુરેશીએ કહ્યું કે તે દિવસે તેની સાથે તેનો મિત્ર સમીર પણ હતો. અંદાજે 2 વાગે તેણે જોયું કે હિંસા શરૂ થઇ ગઇ છે. તો તે પણ સામેલ થઇ ગયો અને પથ્થરમારો શરૂ કરી દીધો.
આ દરમિયાન કુરૈશીએ મિઠાઇની દુકાન પાસે પડેલું ચાકૂ ઉઠાવી લીધું અને આમ આદમી પાર્ટીના તાહિર હુસૈનના ઘર બહાર ઉભો રહ્યો. આ દરમિયાન જ તેણે અંકિત પર ચાકૂથી ત્રણ વાર કર્યા હતા. અને થોડા સમય બાદ અંકિતના શરીરમાં કોઇ હરકત ન જોવા મળતા તેણે મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો.