CAAના વિરોધીઓ અને CAAના સમર્થકો વચ્ચે ભડકેલી હિંસાએ મોટુ સ્વરુપ ધારણ કર્યુ છે. આ હિંસામાં એક કોન્સ્ટેબલ સહિત 17 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ 200 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અડધી રાતે ભડકે બળેલી દિલ્હીને પગલે દિલ્હી હાઈકોર્ટમાં જજના ઘરે અડધી રાતે સુનવણી કરવામાં આવી છે. જાણો શુ કહ્યું જજે...
દિલ્હી હિંસાના પગલે કોર્ટનો મેડિકલ અને પોલીસ કન્ટ્રોલ રુમ શરુ કરવા આદેશ
અજીત ડોભાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
હિંસામાં એમ્બ્યુલન્સને રસ્તો અને દર્દીને સારવાર મળે તે માટે કોર્ટની અડઘી રાતે સુનવણી
જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનવણી થઈ હતી
દિલ્હી હાઈકોર્ટમાં જજ મુરલીધરના ઘરે અડધી રાતે સુનવણી થઈ હતી. પ્રદરશન દરમિયાન થયેલી હિંસામાં ઘાયલોને સુરક્ષા અને સારી સારવાર માટે હાઈકોર્ટમાં સુનવણી થઈ છે. હાઈકોર્ટે દિલ્હી પોલીસને સ્ટેટસ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે. બુધવારે બપોરે 2.15 વાગે ફરી સુનવણી થશે.
આજે બપોરે 2. 15 એ ફરી સુનવણી કરવામાં આવશે
નાગરિકતા સંશોધન કાયદા(CAA) પર ટકરાવના કારણે થયેવી હિંસામાં અડધી રાતે હાઈકોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. જજ એસ. મુરલીધરના ઘર પર મંગળવારે મોડી રાતે થયેલી સુનવણીમાં હાઈકોર્ટે દિલ્હી પોલીસને મુસ્તફાબાદના એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપવા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે આદેશ આપ્યા છે. આ સાથે જ સ્ટેટસ રિપોર્ટ આપ્યો હતો. બપોરે 2. 15 એ સુનવણી કરવામાં આવશે.
મેડિકલ અને પોલીસ કન્ટ્રોલ રુમની સ્થાપના કરવામાં આવે
દિલ્હી હાઈકોર્ટના જજ એસ. મુરલીધરે કહ્યું દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જીએસ સિસ્તાની બહાર છે તેમજ આ મામલો ખૂબ ગંભીર છે એટલા માટે અડધી રાત સુનવણી કરવામાં આવી રહી છે. મુરલીધરને અલ હિંદ હોસ્પિટલના ડૉક્ટર અનવર અને હાલાત વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડો.એ જણાવ્યું હતુ કે હોસ્પિટલમાં 2 લોકોના મોત નિપજ્યા છે અને 22 ઘાયલ છે. તેમણે એમ પણ કહ્યુ હતું કે પોલીસને મદદ માંગી હતી પણ મદદ મળી શકી નહોતી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મેડિકલ અને પોલીસ કન્ટ્રોલ રુમની સ્થાપના કરવામાં આવે.
અજિત ડોભાલે સીલમપુર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
દિલ્હીમાં ભડકેલી હિંસાથી NSA અજિત ડોભાલે પણ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અજિત ડોભાલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નોર્થ ઈસ્ટ દિલ્હીના DCP ઓફિસમાં અજિત ડોભાલે બેઠક કરી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નોર્થ ઈસ્ટના DCP, સ્પેશિયલ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર હતા. અજિત ડોભાલે સીલમપુર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.