દિલ્હીમાં હિંસા બાદ હવે સ્થિતિ થોડી સામાન્ય બનવા લાગી છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી હિંસાને લઇને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
દિલ્હીમાં હિંસા બાદ હવે સ્થિતિ થોડી સામાન્ય બની રહી છે
ઓવૈસીએ કહ્યું, BJPના નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને હિંસા થઇ
દિલ્હી હિંસા પર એનડીએના અન્ય રાજકીય નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા
નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં થયેલી હિંસાને 'નરસંહાર' કરાર કરતા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આ મામલા પર વાત કરવી જોઇએ અને પ્રભાવિત લોકોને મળવું જોઇએ. તેઓએ રાષ્ટ્રીય રાજધાનીને હચમચાવી દેનારી ઘટનાઓ પર એનડીએના અન્ય નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા.
ઓવૈસીએ કહ્યું, હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે તેઓએ પોતાના સરકારી આવાસથી કેટલાક કિલોમીટર દૂર દિલ્હી હિંસા પર એક શબ્દ કેમ ન બોલ્યા. હિંસામાં 40થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, પીએમ મોદીએ બોલવું જોઇએ. ઓવૈસીએ હૈદરાબાદમાં એક સાર્વજનિક બેઠકમાં કહ્યું કે, આ મામલાઓ પર અને હિંસાથી પ્રભાવિત શિવ વિહારની મુલાકાત લે, કેમકે હિંસામાં માર્યા ગયેલા તમામ લોકો ભારતીય છે.
ઓવૈસીએ કહ્યું, હું પીએમ મોદીને જણાવવા ઇચ્છું છું કે આ હિંસા તેમની પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે થઇ. આ એક નરસંહાર છે. તેઓએ દિલ્હી હિંસા પર એનડીએના અન્ય રાજકીય નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા. તેઓએ કહ્યું કે હું નીતિશ કુમાર, રામવિલાસ પાસવાન અને અકાલી દળને પૂછવા માંગુ છું કે તેઓ દિલ્હી હિંસા પર શાંત કેમ છે.