નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના નામ પર થયેલી દિલ્હીમાં હિંસાને પગલે અત્યાર સુધીમાં 27 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં માર્ચ યોજી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બુધવારે હિંસા અંગે નિવેદન આપ્યું હતું અને દિલ્હીવાસીઓને શાંતિ માટે અપીલ કરી હતી.
દિલ્હીમાં હિંસાનો મામલો
અત્યાર સુધીમાં 27 લોકોના થયા મોત
દિલ્હી પોલીસે 106 લોકોની કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, આ મામલે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ કાર્યરત છે. તેમણે હિંસાગ્રસ્ત ઉત્તર-પૂર્વ દિલ્હીની મુલાકાત લીધી હતી અને લોકો સાથે વાતચીત કરી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી અજિત ડોવલ ઉત્તર બ્લોક પહોંચ્યા હતા.
હિંસામાં મૃતાંક 27 થયો
Sunil Kumar, Medical Superintendent, Guru Teg Bahadur (GTB) Hospital: The death toll has risen to 25 as 3 more died during medical treatment. #NortheastDelhipic.twitter.com/IsUTHIP0GV
દિલ્હી હિંસામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને વધુ 2 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હવે કુલ મૃતાંક 27 થયો છે. LNJP હોસ્પિટલમાં વધુ 2 ઘાયલના મોત નિપજ્યા છે. ત્યારે GTB હોસ્પિટલમાં 25 ઘાયલના મોત નિપજ્યા હતા.
અભિનેતા રજનીકાંતે આપ્યું નિવેદન
Rajinikanth: It is an intelligence failure and hence Home Ministry also failed. Protests can happen peacefully but not in a violent manner. If violence breaks out, it should be dealt with iron hands. #NortheastDelhipic.twitter.com/idRpHOtCEU
અભિનેતા રજનીકાંતે દિલ્હી હિંસા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ તેને ગૃહ મંત્રાલયની નિષ્ફળતા ગણાવી છે. વળી, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે. તેમણે કહ્યું હતું કે વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક રીતે નહીં.
કેજરીવાલે શહીદ થયેલા કોન્સ્ટેબલના પરિવારને 1 કરોડની કરી મદદ
Delhi CM Arvind Kejriwal in Delhi Assembly: I want to assure the family of Delhi Police Head Constable Rattan Lal ji that we will take care of them. We will give a compensation of Rs 1 Crore and a job to a member of his family. pic.twitter.com/ifh9UernLI
આજે દિલ્હી વિધાનસભામાં CM કેજરીવાલે કહ્યું કે આ હિંસામાં સૌથી વધુ નુકસાન દિલ્હીવાસીઓનું થયું છે અને એટલે જ હિંસા નહીં રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. વિધાનસભા ચર્ચા દરમ્યાન તેમણે હિંસામાં શહીદ થયેલા હૅડ કૉન્સ્ટેબલ રતન લાલના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ દેવાની અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારથી માંડી કેન્દ્ર સરકાર થઇ દોડતી થઈ
રાજધાની દિલ્હી ફરી એકવાર સળગી ઊઠી છે. નાગરિક્તા કાયદાના વિરોધે હિંસાનું રુપ ધારણ કરી લીધું છે. રાજધાનીમાં જાણે મોતની હોળી રમાઈ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકારથી માંડી કેન્દ્ર સરકાર દોડતી થઈ ગઈ છે અને હિંસાને ડામવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજધાનીને સેનાના હવાલે કરવાની વાતો પણ થઈ રહી છે. ત્યારે કેવી છે હિંસક સ્થિતિ અને કોણ સળગાવી રહ્યું છે.