દિલ્હી હિંસાને લઇને કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક થઇ હતી. બેઠકમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ હાજર રહ્યા. બેઠકમાં હિંસામાં મરનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર
હિંસાના વિરોધમાં શાંતિ માર્ચ કાઢશે કોંગ્રેસ નેતા
અત્યાર સુધી હિંસાની ઝપેટમાં આવવાથી 20ના મોત
દિલ્હીમાં થયેલી હિંસા મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ નામ લીધા વિના કપિલ મિશ્રા પર નિશાન સાધ્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીમાં સ્થિતિ ચિંતાજનક છે. ભાજપ નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ મામલે સોનિયા ગાંધીએ ગૃહમંત્રીનું રાજીનામું પણ માગ્યું છે. દિલ્હીમાં થયેલી હિંસા મામલે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. સોનિયા ગાંધીએ આ મામલે કેટલાક સવાલ કર્યા છે. કોંગ્રેસે પોતાની આગામી રણનીતિ જણાવતા કહ્યું કે હિંસાના વિરોધમાં કોંગ્રેસ નેતા શાંતિ માર્ચ કાઢશે.
સોનિયા ગાંધીએ કહ્યું કે દેશના ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યા હતા, દિલ્હી ચૂંટણી બાદ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા શું જાણકારી અપાઈ અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી. હિંસા બાદ કેટલી પોલીસ હિંસા સ્થળોએ તૈનાત કરાઈ. જ્યારે દિલ્હીમાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. તેવામાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સને કેમ ન બોલાવવામાં આવી.