દિલ્હીમાં હિંસાના પીડિતોને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુરુવારે તેનું એલાન કર્યું. કેજરીવાલે કહ્યું કે જો કોઇપણ ઘાયલ વ્યક્તિ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ કરે છે તો તેનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે હિંસાના પીડિતોને' ફરિશ્તા યોજના' નો લાભ મળશે.
CM અરવિંદ કેજરીવાલે હિંસા પીડિતો માટે વળતરનું એલાન કર્યું
હિંસાના પીડિતોને' ફરિશ્તા યોજના' નો લાભ મળશે : CM કેજરીવાલ
તેની સાથે જ કેજરીવાલે હિંસા પીડિતો માટે વળતરનું પણ એલાન કર્યું. ગંભીર રૂપે ઘાયલોને 2 લાખ રૂપિયા અને મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી. સાથે જ જેમના ઘર પૂર્ણ રીતે સળગી ગયા છે તેમને 5 લાખ રૂપિયા અને જેમની દુકાન સળગાવી દેવામાં આવી છે તેમને 5 લાખ રુપિયાનું વળતર આપવામાં આવશે.
दिल्ली सरकार की 'फरिश्ते स्कीम' को दंगों से प्रभावित लोगों के लिए भी लागू किया जाएगा। pic.twitter.com/7YrDgzXt9F
દિલ્હી સરકાર આગચંપી, હિંસા દરમિયાન સળગી ગયેલા દસ્તાવેજોને ફરીથી હાંસલ કરવા માટે લોકોને વિશેષ શિબિર લગાવશે.
આપ નેતા તાહિર હુસૈન પર હિંસા ભડકાવવાના આરોપો પર કેજરીવાલે કહ્યું કે જો અમારી પાર્ટીના નેતા હિંસામાં સામેલ છે તો તેમને બેગણી સજા આપવામાં આવશે. હિંસા માટે ઉશ્કેરનાર પર કડક કાર્યવાહી થાય. જ્યારે બીજી તરફ તાહિર હુસૈને હિંસામાં અને આઇબીના કર્મીની હત્યામાં પોતાનો કોઇપણ જાતનો હાથ હોવાથી ઇનકાર કર્યો છે.
"जिन लोगों ने दंगों को भड़काने का काम किया हैं, उनको उठाकर जेल में डालों
સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ના સમર્થક અને વિરોધી સમૂહોની વચ્ચે ત્રણ દિવસ પહેલા થયેલા ઘર્ષણે સાંપ્રદાયિક હિંસાનું રુપ લીધું હતું. આ હિંસામાં 34 લોકોના મોત થઇ ગયા અને 200થી વધારે લોકો ઘાયલ થઇ ગયા