ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તેહાદ-ઉલ- મુસ્લિમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીમાં થયેલા રમખાણોને ‘લક્ષિત સંગઠિત હિંસા’ ગણાવતા રવિવારે કહ્યું કે જવાબદારી ભાજપ સરકાર પર છે. એ સાથે તેમણે PM નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે કહ્યું હતું. સાથે તેમણે કહ્યું કે 4 કલાકથી વધારે કોઈ હિંસા ચાલે તો સમજવું કે સરકાર ઈચ્છે છે આ બધું.
ઔવેસીએ મોદી પર નિશાન સાધ્યું
પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા ઔવેસી
આ સાંપ્રદાયિક હિંસા નહીં પણ લક્ષિત સંગઠિત હિંસા છે
મોદી હિંસા પર ચૂપ કેમ છે એવા સવાલ ઉઠાવ્યા હતા
AIMIMની 62માં સ્થાપના દિને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના સાંસદ ઔવેસીએ વગોળ્યું કે ભાજપના નેતાઓના ભાષણના કારણે હિંસા થઈ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સંપૂર્ણ યોજના અને તૈયારી સાથે સાંપ્રદાયિક હિંસા થઈ. નફરતનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું. આને સાંપ્રદાયિક હિંસા ન કહી શકાય આ બરબાદી છે. ’એટલું જ નહી મોદી હિંસા પર ચૂપ કેમ છે એવા સવાલ ઉઠાવ્યા હતા.
આ લક્ષિત સંગઠિત હિંસા છે
ઔવેસીએ કહ્યું કે, ‘અમને આશા છે કે આપણા (પ્રધાનમંત્રી) 2002(ગુજરાતના રમખાણો)માંથી શીખ લીધી હશે અને સુરક્ષિત કરશે. તેમજ આ પ્રકારની બીજી ઘટના ન બને તે માટે તકેદારી રાખે. તેમણે દિલ્હી મેટ્રો સ્ટેશન પાસે કેટલાક યુવકો દ્વારા કરવામાં આવેલી નારેબાજીને પગલે એમ પણ કહ્યું હતું કે, ‘આ કોણ લોકો છે.જે ગોલી મારો દેશ કે ગદ્દારો કો બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આ હિંસા યોજના સાથે કરવામાં આવી હતી. આ લક્ષિત સંગઠિત હિંસા છે અને તેની જવાબદારી તમારા પર છે.
પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલો
PM મોદીને દિલ્હી હિંસાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવા અપીલ કરતા ઔવેસીએ આશ્ચર્ય કરતા કહ્યું કે શું પ્રધાનમંત્રી માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં આપણી પીડા વ્યક્ત કરશે. તેમણે એમ પણ કહ્યું કે PMએ ઉત્તર પ્રદેશમાં શનિવારે ભાષણમાં દિલ્હી હિંસાનો ઉલ્લેખ પણ નથી કર્યો. જ્યારે કે તે સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે. દિલ્હી પોલીસની નિંદા કરતા ઔવેસીએ અસરગ્રસ્ત મુસ્લિમ વિસ્તારોમાંથી માંગવામાં આવેલી મદદ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે.