દિલ્હીમાં 24 અને 25 ફેબ્રુઆરીએ ભડકેલી હિંસા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલમાં CCTVના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આ હિંસાના પગલે 18 ફરિયાદ કરીને 106 લોકોની ધરપકડ કરાઈ છે. ત્યારે શું તમે જાણો છો હિંસા ભડકાવવી તથા હિંસા ફેલાવનાર ભીડનો ભાગ બનાવા બદલ કેટલી સજા થઈ શકે છે?
પથ્થરમારો, ફાયરિંગ અને આગ લગાવાઈ હતી
ખાનગી અને સરકારી સંપત્તિમાં આગ લગાવી હતી
હિંસામાં પોલીસકર્મીઓ સહિત 27 લોકોના મોત
આ કલમ હેઠળ 2થી 3 વર્ષની સજા થઈ શકે છે
હિંસાના આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. શહેરની એક વકીલે આ ઘટના અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં હિંસા કરવા માટે આવેલા તમામ લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે. ભીડમાં સામેલ લોકો સામે IPC સેક્શન 147 અને 148 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કલમ હેઠળ 2થી 3 વર્ષની સજા થઈ શકે છે. સાથે જ રોકડ દંડ પણ કરવામાં આવી શકે છે.
ખાનગી અને સરકારી સંપત્તિમાં આગ લગાવી હતી તો
સરકારી અને ખાનગી સંપતિને નુકસાન પહોંચાડવા મામલે IPC સેક્શન 436 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં 10 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, ભીડમાં સામે તમામ લોકો સામે IPC સેક્શન 34 અને 149 હેઠળ કાર્યવાહી કરાય છે. ભીડમાં આવેલા તમામ લોકો હિંસાના જવાબદાર ગણાતા હોય છે.
આજીવન કારાવાસથી લઈને મૃત્યુદંડ અને દંડ થઈ શકે છે
ભીડમાં જો કોઈ શખ્સે હુમલો કર્યો હોય તો તેમની સામે 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસ હેઠળ ફરિયાદ થાય છે. જેમાં આરોપીને 10 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા થઈ શકે છે. હિંસામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો, 302ની કલમ એટલે કે હત્યાના ગુના હેઠળ ફરિયાદ થાય છે. જેમાં આજીવન કારાવાસથી લઈને મૃત્યુદંડ અને દંડ થઈ શકે છે. બે દિવસ થયેલી હિંસામાં 27 લોકોના મોત થયા. જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિરોધ કરવા આવેલા લોકોએ પથ્થરમારો, ફાયરિંગ અને આગ લગાવી હતી. ખાનગી અને સરકારી સંપત્તિઓમાં આગ લગાવવામાં આવી.
CCTVથી તમામ લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો છે
ઉલ્લેખનીય છે કે દિલ્હીની હિંસાને પગલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં હિંસા કરનારા સામે કાર્યવાહી થશે. વિરોધમાં જોડાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ CCTVથી તમામ લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો છે.