દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોને રાજકીય વિશ્લેષકો અલગ અલગ રીતે મુલવ્યા, રાજકીય નેતાઓએ અલગ અલગ જીતના દાવા કર્યા છે. પરંતુ દિલ્હીની જનતાએ ભાજપને પંસદ ના કરી. કેજરીવાલને દિલ્હીવાસીઓએ ખોબલે ખોબલે મત આપ્યા છે. ત્યારે આગામી 14 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતાઓ છે.
કેજરીવાલ બન્યા દિલ્હીના 'બાદશાહ'
આમ આદમી પાર્ટી 62 બેઠકો જીતી
ભાજપને મળી માત્ર 8 બેઠક
ચુંટણી પરિણામઃ (Total 70 Seats / Majority 36)
PARTY
2020
2015
AAP
62
67
BJP+
08
3
INC+
00
સતત ત્રીજી વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતેલા કેજરીવાલ પર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. મહત્વનું છે કે દિલ્હીવાસીઓએ સરેરાશ 62 % જેવું મતદાન કર્યું હતું. હાલના પરિણામો પર નજર કરીએ તો AAPને 62 બેઠક મળી છે જ્યારે BJPની 8 બેઠકો પર જીત થઇ છે. પ્રચંડ બહુમતિથી જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતેથી અરવિંદ કેજરીવાલે સંબોધન કરતા કહ્યું હતું કે, હું દિલ્હીવાસીઓ I Love You... તમામ લોકો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું કે તમે ત્રીજીવાર પોતાના પુત્ર પર વિશ્વાસ દર્શાવ્યો.
Congratulations to AAP and Shri @ArvindKejriwal Ji for the victory in the Delhi Assembly Elections. Wishing them the very best in fulfilling the aspirations of the people of Delhi.
દિલ્હી ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ અરવિંદ કેજરીવાલ કનૉટ પ્લેસના પ્રાચીન હનુમાન મંદિર પહોંચ્યા છે. મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરીના દિવસે તેઓ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરી શકે છે.
CM ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલને જીત બદલ પાઠવ્યાં અભિનંદન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અભિનંદન આપ્યાં છે. અરવિંદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યાં સાથે જ તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે દેશ જન કી બાતથી ચાલે છે નહીં કે મન કી બાતથી ભાજપે અરવિંદ કેજરીવાલની આતંકીઓ સાથે સરખામણી કરી હતી છતાં ભાજપ ચૂંટણીમાં કંઈ ન કરી શકી.
"दिल्लीच्या विधानसभा निवडणुकीत @ArvindKejriwal जी यांच्या @AamAadmiParty पक्षाला मिळालेल्या यशाबद्दल त्यांचे आणि दिल्लीतील जनतेचे मन:पूर्वक अभिनंदन करतो आणि त्यांच्या भावी विकासमय वाटचालीस शुभेच्छा देतो."
કેજરીવાલે કહ્યું કે મંગળવારના દિવસે હનુમાનજીએ દિલ્હી પર પોતાની કૃપા વરસાવી છે. તેમણે કહ્યું કે, આજે મંગળવાર છે (આટલું બોલતા જ લોકો તાળીઓ વગાડવા લાગ્યા) હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ આજે દિલ્હી પર પોતાની કૃપા વરસાવી છે. તેમને ખુબ ખુબ આભાર. આપણે દિલ્હીવાળા પ્રભુથી ઇચ્છા રાખીએ છીએ કે આપણને શક્તિ આપે કે જેમ છેલ્લા 5 વર્ષમાં આપણે દિલ્હીની સેવા કરી તે જ પ્રકારે આપણે સૌ 2 કરોડ લોકો મળીને આગામી 5 વર્ષ એક સારી દિલ્હી બનાવી શકીએ. જણાવી દઇએ કેજરીવાલે હનુમાન મંદિર જવા પર દિલ્હી ભાજપના ચીફ મનોજ તિવારેએ કટાક્ષ કર્યો હતો.
દિલ્હીમાં 2 રૂપિયે કિલો લોટની સામે બહેતર શિક્ષણની જીત
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સતત બીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવારનો જાદૂ ચાલતો દેખાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી સતત 58થી વધુ બેઠકો પર આગળ વધતી જણાય રહી છે, જ્યારે ભાજપ સતત ડબલ ડિજિટ પર સંઘર્ષ કરી રહી છે. સતત બીજી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું. દિલ્હી સરકારમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને શિક્ષણ મંત્રી રહેતા શ્રેષ્ઠ શિક્ષણ અંગે કામ કર્યું હતું. આ મુદ્દો ભાજપના બે રૂપિયા કિલો લોટ આપવાના વચન પર ભારે પડ્યો.
दिल्ली के सभी मतदाताओं का धन्यवाद ।
सभी कार्यकर्ताओ को उनके कठिन परिश्रम के लिए साधुवाद...दिल्ली की जनता का जनादेश सिर माथे पे.. @ArvindKejriwal जी को बहुत बहुत बधाई ..
દિલ્હીવાસીઓએ પોતાના પુત્ર પર વિશ્વાસ દર્શાવ્યો : અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતેથી મંચ પરથી અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું. તેઓએ કહ્યું કે દિલ્હી ચૂંટણીમાં આપની જીત માટે હું અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાને શુભ કામના પાઠવું છું. લોકોએ બતાવી દીધું કે, દેશ 'જન કી બાત' થી ચાલશે, 'મન કી બાત' થી નહીં. હું દિલ્હી વાસીઓનો આભાર વ્યક્ત કરું છું કે આપે ત્રીજી વાર પોતાના પુત્ર પર વિશ્વાસ દર્શાવ્યો. બીજેપીએ કેજરીવાલને આંતકવાદી કહ્યા, પરંતુ તેઓને હરાવી ન શકી. આજે મંગળવાર છે અને હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે. હું આ માટે હનુમાનજીનો ધન્યવાદ પાઠવું છું. આ માત્ર દિલ્હીની નહીં, આખા ભારત અને ભારત માતાની જીત.
ઓખલાના કાર્યકર્તા અમનતુલ્લાહ ખાને કહ્યું દિલ્હીની જનતાએ અમિત શાહજીને કરંટ લગાવવાનું કામ કર્યું છે.
Amanatullah Khan,AAP candidate from Okhla: Dilli ki janta ne aaj BJP aur Amit Shah ji ko current lagane ka kaam kiya hai, ye kaam ki jeet huyi hai aur nafrat ki haar. Maine nahi, janta ne record( his lead margin) toda hai. #DelhiResultspic.twitter.com/tgSbUByDDC
58 સીટની સાથે વિજય મેળવ્યા બાદ પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓ અને કેજરીવાલ
Delhi Chief Minister Arvind Kejriwal and other AAP leaders at party office. Political Strategist Prashant Kishor also present. AAP is leading on 58 seats as per official EC trends pic.twitter.com/sZ5gR0kmBv
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર મામલે ભાજપ નેતા ગૌતમ ગંભીરે કહ્યું કે જીત માટેના તમામ પ્રયાસ કર્યા હતા. જોકે ક્યાં ચૂક રહી ગઈ છે. તે મામલે સમીક્ષા કરવામાં આવશે. સાથે જ કેજરીવાલને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. તો આ તરફ RPI નેતા રામદાસ અઠાવલેએ કહ્યું કે ભાજપને કેટલાક મુદ્દાઓ નડી ગયા છે. જોકે આગામી વિધાનસભા ચૂંટણીમાં દિલ્લીમાં ભાજપને જીત મળશે.
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આપ્યા કેજરીવાલને અભિનંદન
West Bengal Chief Minister Mamata Banerjee on #DelhiElectionResults: I have congratulated Arvind Kejriwal. People have rejected BJP. Only development will work, CAA, NRC and NPR will be rejected pic.twitter.com/VgpX9TmoLs
AAP સાંસદ સંજયસિંહે દિલ્હીમાં AAPની જીત પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે કામના આધારે લોકોએ AAPને પસંદ કરી છે. હવે કામના આધારે રાજનીતિ થશે. વાયદાઓ કરનારા ભાજપે તમામ તાકાત લગાવી દીધી પણ દિલ્હીવાસીઓએ મન બનાવી લીધું હતું. જેના કારણે ફરી એકવાર કેજરીવાલની સરકાર બની છે.
AAPએ એક કેમ્પેઈનની શરૂઆત કરી
દિલ્હીમાં આમ આદમી પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. તેવામાં AAPએ એક કેમ્પેઈનની શરૂઆત કરી છે. આ કેમ્પેઈન છે રાષ્ટ્ર નિર્માણનું. AAPના કાર્યલય પર એક નવું પોસ્ટર લાગ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણ માટે AAP સાથે જોડાઓ. AAP સાથે જોડાવવા માટે મિસ કોલ કરવા એક નંબર પણ જાહેર કર્યો છે. એટલે કે હવે AAP રાષ્ટ્ર નિર્માણને મોટો મુદ્દો બનાવશે અને તેના માટે સરકાર રચાયા બાદ મોટું અભિયાન ચલાવશે.
AAP candidate from Model Town, Akhilesh Pati Tripathi, who is leading over BJP's Kapil Mishra: I thank everyone who has expressed their confidence in Arvind Kejriwal. People want a govt that takes care of its citizens. People of Delhi have voted for development; I thank them. pic.twitter.com/rJb9QtxFGz
ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું કે બંને સીટનું અંતર વધારે મોટું છે પણ હજુ પણ અમને આશા છે કે પાર્ટીનો વિજય થશે. જે કંઈ પણ રીઝલ્ટ આવશે તેના માટે હું જવાબદાર છું.
Delhi BJP Chief Manoj Tiwari: Trends indicate that there is a gap between AAP-BJP, there is still time. We are hopeful. Whatever the outcome, being the State Chief I am responsible. #DelhiElectionResultspic.twitter.com/k2G7r0OGCu
AAP નેતા ગોપાલ રાયે કહ્યું કે વિકાસના કાર્યોના આધારે દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીની પસંદગી કરી છે. ભાજપ અને કોંગ્રેસ માત્ર વાયદાઓ જ કરે છે. જેથી દિલ્હીવાસીઓએ ભાજપ-કોંગ્રેસને તેનો જવાબ આપી દીધો છે.
દિલ્હીના શરૂઆતી વલણમાં આમ આદમી પાર્ટીને બહુમત મળી ચૂક્યો છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા વલણને લઈને ભાજપ હાલમાં 20 સીટ પર અને આર 50 સીટ સાથે જોવા મળી રહ્યું છે. વલણને જોતાં આપની સરકાર બનવાનું નક્કી છે. અરવિંદ કેજરીવાલ ત્રીજી વાર મુખ્યમંત્રી બનતા જોવા મળી રહ્યા છે. જીતની તૈયારીઓ માટે તેમનો વિજય રથ તૈયાર થઈ ચૂક્યો છે. જીપ સજાવીને તૈયાર કરી દેવાઈ છે.
વલણને જોતાં કોંગ્રેસ ઉમેદવારે માની લીધી હાર
શરૂઆતી વલણને જોતાં જ કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે. કોંગ્રેસના નેતા મુકેશ શર્માએ ટ્વિટ કર્યું છે કે હું પોતાની હાર સ્વીકાર કરું છું. વિકાસપુરી વિધાનસભાના મતદાતાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે ક્ષેત્રનો વિકાસ થશે. ભવિષ્યમાં દિલ્હી, વિકાસપુરી અને ઉત્તમનગર વિધાનસભાના વિકાસ માટે લડાઈ લડતો રહીશ.
मैं अपनी हार स्वीकार करते हुए, विकासपुरी विधानसभा क्षेत्र के सभी मतदाताओं व कांग्रेस कार्यकर्ताओं का आभार व्यक्त करता हूं और आशा करता हूं कि क्षेत्र का चौमुखी विकास होगा।
मैं भविष्य में भी दिल्ली, विकासपुरी व उत्तम नगर विधानसभा क्षेत्र के चौमुखी विकास के लिए लड़ाई लड़ता रहूंगा।
દિલ્હીની મતગણતરીને લઈને સવારે 9.10ના સમયે જ શરૂઆતી વલણના આધારે જ AAP નો વિજયરથ તૈયાર થઈ ચૂક્યો છે. કોંગ્રેસ કાર્યાલય સૂમસામ જોવા મળી રહ્યા છે તો અન્ય તરફ ભાજપે હાર સ્વીકારી લીધી છે.
ભાજપના નેતા મનોજ તિવારીએ દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતીનો દાવો કર્યો છે. મનોજ તિવારીએ કહ્યું છે કે, તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ભાજપ 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મેળવશે. પરિણામ બાદ કોઇ EVMને દોષ ન આપે.
दिल्ली प्रदेश बीजेपी अध्यक्ष मनोज तिवारी: मैं नर्वस नहीं हूं। आज का दिन बीजेपी के लिए अच्छा होगा। बीजेपी के दफ्तर में जश्न की तैयारियां शुरू हो गई हैं। बीजेपी आज दिल्ली सरकार में आ रही है। #DelhiResultspic.twitter.com/IsccCcODnO
સવારમાં હનુમાન મંદિરે પહોંચ્યા ભાજપ નેતા, મળશે જીતના આર્શિવાદ?
મંગળવારની સવાર બીજેપી નેતા માટે વિજય ગોયલ કનોટ પ્લેસના હનુમાન મંદિરે પહોંચ્યા હતા. વિજય ગોયલે દાવો કર્યો છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપની સરકાર બનશે. ભાજપે પોતાના બળે બહુમત મેળવશે. ભાજપ સતત જીતનો દાવો કરી રહી છે કે તે 48થી વધારે સીટથી જીતશે.
Delhi: BJP leader Vijay Goel offered prayers at Hanuman Temple in Connaught Place. Counting for all 70 assembly seats in Delhi to begin at 8 am. #DelhiResultspic.twitter.com/CDbtQXGAqC
દિલ્હીમાં કુલ 21 સેન્ટર બન્યા હતા અને અહીં મતગણતરી થશે. ચૂંટણી આયોગે વોટોની ગણતરી માટે મોટો સુરક્ષા પ્રબંધ કર્યો છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. દિલ્હીમાં 62.59 ટકા ચૂંટણી થઈ હતી.
ચૂંટણી પહેલા ટ્રાફિક રૂલમાં આવ્યો બદલાવ
Traffic Alert
आज सुबह 06.00 बजे से शाम 06.00 बजे तक मतगणना के कारण KN Katju Marg से बवाना authority जाने वाला मार्ग यातायात के लिए बंद रहेगा|