એક તરફ ખેડૂતોની રેલી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં મામલો વધુ ગરમાયો અને ત્યારબાદ ખેડૂતોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરતા હોય તેમ લાલકિલ્લા સુધી પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ટ્રક્ટર રેલી અને પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ યથાવત
DDU માર્ગ પર ટ્રેક્ટર પલટતા ચાલકનું મોત
લાલ કિલ્લા પર RAFની ટુકડી મોકલવામાં આવી
જો કે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ટ્રેકટર રેલી દરમિયાન DDU માર્ગ પર એક ટ્રેક્ટર પલટી જતા ચાલકનું મોત થયું છે.
RAFની ટુકડી મોકલવામાં આવી
કેટલાક ખેડૂતો લાલ કિલ્લા પર આવી પહોંચ્યા હતા અને વિરોધ કરી હતા ત્યારે આ મામલે હવે તંત્ર દ્વારા RAFની ટુકડી મોકલી હતી અને ખેડૂતો દ્વારા ફરકાવવામાં આવેલ ધ્વજ ઉતારવામાં આવ્યો હતો.
લાલ કિલ્લા પર પહોંચ્યા ખેડૂતો
ઘણા ખેડુતો આઈટીઓ પર થયેલી ધમાલ વચ્ચે લાલ કિલ્લા પર પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે ડઝન ટ્રેક્ટરમાં સવાર સેંકડો ખેડુતો લાલ કિલ્લા સંકુલ પહોંચ્યા છે, જ્યાં તેઓ દેખાવો કરી રહ્યા છે.
પોલીસ દ્વારા છોડાયા ટીયર ગેસ
પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી તરફ જતા તમામ રસ્તાઓ પોલીસે બંધ કરી દીધા છે. કોઈ પરિવહનની મંજૂરી નથી. તે જ સમયે, આઈટીઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલુ છે. પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ ચલાવવામાં આવી રહ્યા છે. ખેડુતો હજી ઉભા છે.
પોલીસે કર્યો લાઠી ચાર્જ
પોલીસે લાલ કિલ્લા અને ઇન્ડિયા ગેટ તરફ જતા ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ સાથે અશ્રુ ગેસના શેલ પણ સતત છોડવામાં આવી રહ્યા છે. પોલીસે હાલ ખેડુતોને પાછળ ધકેલી દીધા છે, પરંતુ ખેડુતો હજી પણ આઇટીઓ પર ઉભા છે. પ્રજાસત્તાક દિનની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ખેડૂતોની સંખ્યા પણ વધી રહી છે.
રાકેશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન
આ તરફ કૃષિ આંદોલનકારી રાકેશ ટિકૈતે ખેડૂતો પરના દમનની ઘટનાને વખોડી હતી. સાથે જ તેમણે કહ્યું કે, અમે આંદોલનકારી ખેડૂતો છીએ અસામાજીક તત્વો નથી
ખેડૂતોની ટ્રેક્ટર પરેડ : જેનો ભય હતો તે જ થયું
- ગાઝીપુર બોર્ડર નજીક બેરિકેડમાં તોડફોડ
- અક્ષરધામ-નોઈડા પાસે અથડામણ
- નોઈડા-અથડામણમાં બોર્ડર પર મોટી અથડામણ
- કેટલાક સ્થળે છૂટાછવાયા ઝઘડાઓનાં, ખેડૂતોએ વાહનોમાં તોડફોડ કરી
- ખેડૂતોએ એનઓસીના 37 નિયમોનું ઉલ્લંઘન કર્યું
- પોલીસ અનેક જગ્યાએ બળનો ઉપયોગ કરી રહી છે, ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા
- ખેડુતો આઇટીઓ સુધી પણ પહોંચી ગયા છે
નરેશ ટિકૈતે સરકાર પાસે કરી આ માગણી
ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે તેઓ ગણતંત્ર દિવસ મનાવામાં આવ્યાં છે, અમે શાંતિપૂર્ણ રેલી નિકાળી રહ્યાં છે અને નક્કી કરેલા રુટથી પરત આવી જઇશું. મારી સરકારને અપીલ છે કે તેઓ પોતાની જીદ છોડી દે અને એક નાની માગણી માની લે, બધા ખેડૂતો પોતાના ખેતરમાં જતા રહેશે.
નોઇડામાં ફરી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
નોઇડા મોડ પર ફરી ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. ખેડૂતો અને પોલીસની વચ્ચે ટકરાવ જોવા મળ્યો છે. ખેડૂતોએ બેરિકેડસને તોડીને ફંકી દીધો છે. ખેડૂતોએ કહ્યું છે કે પોલીસની લાપરવાહીના કારણે આ ટકરાવ જોવા મળ્યો છે. આ ઘર્ષણ પછી ખેડૂતોએ તેના રુટ પર જવા કહેવામાં આવ્યું છે.