દેશની રાજધાની દિલ્હીની બોર્ડર ખોલી દેવાની મંજૂરી આપવામાં આવી છે. લાંબી ખેચંતાણ બાદ કેજરીવાલ સરકારે દિલ્હીની બોર્ડર ખોલવા અંગે આદેશ જાહેર કર્યો છે. હવે દિલ્હીમાં વિના કોઇ પાસ અને રોક-ટોક વિના અવર-જવર કરી શકાશે.
દેશની રાજધાની દિલ્હીની બોર્ડર ખોલી દેવાની મંજૂરી આપવામાં આવી છે
દિલ્હીમાં આવવા અને જવા માટે લોકોને કોઇપણ પ્રકારના પાસ અથવા મંજૂરી લેવાની જરૂર નહીં પડે
દિલ્હીની બોર્ડરને 8 જૂનથી એકવાર ફરી દેશવાસીઓ માટે ખોલી દેવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે દિલ્હી સરકારે બોર્ડર ખોલવા માટે આદેશ પણ જારી કરી દીધો છે.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના આદેશ મુજબ હવે દિલ્હીમાં આવવા માટે અને દિલ્હીથી જવા માટે લોકોને કોઇપણ પ્રકારના પાસ અથવા મંજૂરી લેવાની જરૂર નહીં પડે. હવે વિના કોઇ રોક-ટોક દિલ્હી બોર્ડરને ક્રોસ કરી શકાશે.
આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1 જૂને 7 દિવસો માટે દિલ્હીની બોર્ડર બંધ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ નોઇડા, ગાજિયાબાદ, ગુરુગ્રામથી લોકો દિલ્હીમાં વિના પાસે એન્ટ્રી કરી શકતા નહોતા, જ્યારે દિલ્હીના લોકો હરિયાણા અને ઉત્તર પ્રદેશ જઇ શકતા હતા. દિલ્હી સરકારના આદેશ મુજબ 8 જૂનથી કન્ટેનમેન્ટ ઝોનને છોડીને દિલ્હીમાં રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ અને ધાર્મિક સ્થળ ખોલવામાં આવશે.