મોટાભાગે એવું બને છે કે, ગમે તેવી સારી ઇન્સ્ટિટ્યૂટથી ડિગ્રી લીધી મેળવી હોય, તોપણ સ્ટૂડન્ટ્સને જોબની કોઇ ગેરન્ટી હોતી નથી. વિદ્યા્ર્થી-વિદ્યાર્થીનીઓ નોકરી માટે ભટકતા રહે છે. ત્યારે એક એવી યૂનિવર્સિટી ખુલી રહી છે, જેમા અભ્યાસ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જોબ મળશે. આ બિલકુલ સાચું છે, તેના માટે સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઇ છે.
સ્કીલ અને એન્ટરપ્રિન્યોરશિપ વિશ્વવિદ્યાલય શરૂ કરાશે : CM કેજરીવાલ
અભ્યાસ કરનાર દરેક સ્ટૂડન્ટ્સને જોબની ગેરન્ટી : CM કેજરીવાલ
યૂનિવર્સિટીમાં લગભગ 50000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે
નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે સ્કીલ અને એન્ટરપ્રિન્યોરશિપ વિશ્વવિદ્યાલય ( Skill and Enterpreneurship University) ખોલવાની તૈયારી કરાઇ રહી છે. જેમા અભ્યાસ કરનાર દરેક સ્ટૂડન્ટ્સને જોબ મળશે.
આ યૂનિવર્સિટી માટે બનાવવામાં આવેલી યોજનાને કેબિનેટથી મંજૂરી પણ મળી ચૂકી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 'સરકાર ઉપ રાજ્યપાલની મંજૂરી લઇને વિધાનસભામાં તેના માટે બિલ લાવશે. મને આશા છે કે ઉપ રાજ્યપાલની મંજૂરી અને બિલને વિધાનસભામાં મંજૂરી મળવાના એક વર્ષની અંદર આ યુનિવર્સિટી શરૂ થઇ જશે.
યૂનિવર્સિટીની આ હશે ખાસિયત
આ યૂનિવર્સિટીમાં ઘણા અલગ-અલગ કોર્સિસ, અલગ-અલગ સમય સીમા માટે સંચાલિત કરવામાં આવશે.
અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને નોકરીની ગેરન્ટી મળશે.
યૂનિવર્સિટીમાં લગભગ 50000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. સાથે જ અન્ય દેશો, ઉદ્યોગો, કંપનીઓની સાથે મળીને આપસી સહયોગનું આદાન-પ્રદાન કરવામાં આવશે.
સમય સાથે બજારની બદલાતી જરૂરીયાતો અનુસાર અહીં કોર્સિસ પણ અપડેટ કરાશે.
જો કોઇ કંપની કોઇ વિદ્યાર્થીને નોકરી માટે પસંદ કરે છે, તો તે વિદ્યાર્થીને કંપનીની જરૂરીયાત અનુસાર ટ્રેનિંગ આપવામાં આવશે.
અહીં ખુલશે યૂનિવર્સિટી
આ નવી યૂનિવર્સિટીનું કેમ્પસ દિલ્હીમાં જ હશે. તેનું કેમ્પસ દિલ્હીના ઓખલામાં બનાવાશે. જ્યાં વર્તમાનમાં દિલ્હી સ્કૂલ ઓફ ટૂલ એન્જિનિયરિંગ છે. 10માં, 12માંના વિદ્યાર્થીઓ તથા સ્નાતક બાદ પણ સ્ટૂડન્ટ્સ એડમિશન લઇ શકશે. અહીં એમફિલ અને પીએચડી સુધીના કોર્સિસ સંચાલિત કરવામાં આવશે.