વિધાનસભાનું એક દિવસીય સ્પેશિયલ સત્રમાં આપશે અગ્નિપરીક્ષા
કેજરીવાલે ભાજપ પર લગાવ્યો ગંભીર આક્ષેપ
29 ઓગસ્ટના રોજ દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની સરકાર વિશ્વાસ પ્રસ્તાવ લાવશે. દિલ્હીમાં વિધાનસભાના સ્પેશિયલ સેશનને એક દિવસ વધારવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં શુક્રવારે વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં આપ અને ભાજપની વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિની વચ્ચે સ્પેશિયલ સત્રને એક દિવસ વધારવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ સદનમાં હું કોન્ફિડેંસ મોશન લાવવા માગુ છું કે એક એક માણસ હીરો છે. એક પણ નહીં તૂટે. ભાજપનું ઓપરેશન લોટસ દિલ્હીમાં આવીને કીચડ બની ગયું . લોકો ફોન કરી રહ્યા છે કે, કેટલાય ધારાસભ્યો તૂટી ગયા. હું કહું છું એક પણ નહીં તૂટે. દિલ્હીની જનતાને વિશ્વાસ અપાવા માટે કોન્ફિડેંસ મોશન લાવવા માગુ છું.
વિધાનસભામાં પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, ભાજપના લોકોએ મળીને ષડયંત્ર રચ્યું છે કે દિલ્હીની સરકાર પાડી દઈએ. આ લોકો દિલ્હીની સરકાર જ્યાં સુધી ખતમ નહીં કરે ત્યાં સુધી તે સારા કામ કરતા રહેશે. તમામ રાષ્ટ્ર વિરોધી તાકાતો અમારી વિરુદ્ધ આવી ગયા હતા. આ લોકોએ મનીષ સિસોદીયા વિરુદ્ધ ખોટા આરોપ લગાવ્યા. થોડા વર્ષોમાં 277 ધારાસભ્યોને આ લોકો ખરીદી ચુક્યા છે. દિલ્હીમાં પણ 20 કરોડનો રેટ હતો. જો 20 કરોડમાં એક ધારાસભ્ય ખરીદે તો, 277 ધારાસભ્યો પર 5500 કરોડનો ખર્ચ થાય. દિલ્હી માટે 800 કરોડ રાખે તો, કુલ 6300 કરોડ રૂપિયા, આ રૂપિયા ક્યાંથી આવ્યા ?