કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું શનિવારે દિલ્હી સ્થિત એસ્કોટર્સ હોસ્પિટલમાં દેહાવસાન થયું. તેમનું નિધન 81 વર્ષની જૈફવયે થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.
ઉલ્લેખનીય છે કે, શિલા દીક્ષિતના નિધનને પગલે ભારતીય રાજનીતિ અને દિલ્હી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. દીક્ષિત 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી હતા. શીલા દીક્ષિતનું નિધનની સમાચારથી દેશમાં શૉકનું મોજુ ફરી વળ્યું છે. દિગ્ગજ નેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
રામનાથ કોવિંદે ટ્વીટ કરી શોક પ્રગટ કર્યો
दिल्ली की पूर्व मुख्यमंत्री और एक वरिष्ठ राजनेता श्रीमती शीला दीक्षित के निधन के बारे में जानकर दुख हुआ। उनका कार्यकाल राजधानी दिल्ली के लिए महत्वपूर्ण परिवर्तन का दौर था जिसके लिए उन्हें याद किया जाएगा। उनके परिवार व सहयोगियों के प्रति मेरी शोक-संवेदनाएं — राष्ट्रपति कोविन्द
— President of India (@rashtrapatibhvn) July 20, 2019
રાષ્ટ્રપતિ કોંવિંદે ટ્વીટ કરીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા શ્રીમતી શીલા દીક્ષિતના નિધન વિશે જાણીને દુ:ખ થયું. તેમના કાર્યકાળમાં રાજધાની દિલ્હી માટે મહત્વપૂર્ણ પરિવર્તનનો દોર રહ્યો. જે માટે અમે તેમને યાદ કરીએ છીએ. તેમના પરિવાર તથા સહયોગીઓ પ્રત્યે મારી શોક-સંવેદનાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ
Deeply saddened by the demise of Sheila Dikshit Ji. Blessed with a warm and affable personality, she made a noteworthy contribution to Delhi’s development. Condolences to her family and supporters. Om Shanti. pic.twitter.com/jERrvJlQ4X
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શીલા દીક્ષિતના નિધન પર ટ્વીટ કરીને દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે કહ્યું કે, શીલા દીક્ષિતજીના નિધનથી ગહન દુઃખ થયું. વધુમાં કહ્યું કે, શીલા દીક્ષિત શાનદાર વ્યક્તિત્વ ધરાવતા મહિલા હતા. તેમણે દિલ્હીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના, ઓમ શાંતિ.
રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યું દુ:ખ
I’m devastated to hear about the passing away of Sheila Dikshit Ji, a beloved daughter of the Congress Party, with whom I shared a close personal bond.
My condolences to her family & the citizens of Delhi, whom she served selflessly as a 3 term CM, in this time of great grief.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શીલા દીક્ષિતના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટર પર ટ્વીટ કર્યું કે, તેઓ કોંગ્રેસના પ્રિય પુત્રી હતા. દુ:ખના આ સમયમાં મારી તેમના પરિવાર અને દિલ્હીના નાગરિકો પ્રત્યે સંવેદના છે. તેમના 3 કાર્યકાળમાં તેમણે ઘણું સારું કામ કર્યું.
Former PM Manmohan Singh: I'm shocked to hear the sudden passing away of Smt #ShielaDixit. In her death the country has lost a dedicated Congress leader of the masses. People of Delhi will always remember her contribution to Delhi's development during her tenure as CM for 3 terms pic.twitter.com/O7b2Byg8sl
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ શીલા દીક્ષિતના નિધન પર દુ:ખ પ્રગટ કરતા કહ્યું કે, શીલા દીક્ષિતના અચાનક નિધનના સમાચાર સાંભળી હું હેરાન છું. આજે દેશની જનતા માટે સમર્પિત નેતાને ગુમાવ્યા છે. દિલ્હીવાસીએ તેમના વિકાસકાર્યોને કાયમ યાદ રાખશે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી શોક પ્રગટ કર્યો
दिल्ली की पूर्व मुख्यमंत्री श्रीमती शीला दीक्षित जी के निधन से अत्यंत दुखी हूँ। मैं उनके परिजनों और समर्थकों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ। ईश्वर दु:ख की इस घड़ी में उनके परिवार को शक्ति दे और दिवंगत आत्मा को चिर शांति प्रदान करे ।
ॐ शांति शांति शांति
નેશનલ કોન્ફ્રેન્સ ઉપાધ્યક્ષ ઓમર અબદુલ્લાએ ટ્વીટ કરીને શીલા દીક્ષિતના નિધન પર શોક પ્રગટ કર્યો હતો.
Just heard about the tragic demise of @SheilaDikshit ji. What terrible terrible news. I’ve always known her as a very warm & affectionate lady. She did wonders for Delhi as CM & will be greatly missed by all who knew her. May her soul rest in peace.