દિલ્હીની હિંસા બાદ દિલ્હી પોલીસ ગટરમાં લાશ શોધી રહી છે. છેલ્લા 3 દિવસમાં કેટલાય મૃતદેહો ગટરમાંથી મળ્યાં છે. એ પછીથી રાજધાનીમાં ગટરનો ભય વધ્યો છે. પોલીસ બંધ પડેલી ગટરોમાં પણ શોધ ખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધી 39 લોકોના મોત થયા છે.
દિલ્હીની હિંસામાં અત્યાર સુધી 39 લોકોના મોત નિપજ્યા છે
ગોકુલપુરની ગટરમાંથી 3 લોકોના મૃતદેહ મળ્યા છે
દિલ્હી પોલીસ હવે ગટકો ફંફોળી રહી છે પોલીસને શંકા છે કે ગટરમાં લાશ હોઈ શકે છે
અંકિત શર્મા બાદ મળી બીજી લાશો
જીટીબી હોસ્પિટલમાં આજે વધુ એક મોત થયું છે. દિલ્હીની હિંસામાં મરનારની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે. ઉત્તર- પૂર્વ દિલ્હીમાં હિંસા અટક્યા બાદ ધબકારા વધી ગયા છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાખના ઢગલા અને ગટરમાંથી લાશો બહાર કાઢવામાં આવી રહી છે. આ કામગીરીને લઈને મરનારાઓની સંખ્યાને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સી (IB)ના એક કર્મચારી અંકિત શર્માનો મૃતદેહ ગુરુવારે ગોકુલપુરીના ગંગા વિહાર જંક્શનની પાસે ગટરમાંથી મળ્યા બાદ વધુ 2 મૃતદેહો અહીંથી મળી આવ્યાં છે. દિલ્હી પોલીસ એ બાદથી બંધ ગટરો પણ તપાસી રહી છે.
સળગાવી દેવામાં આવેલા મકાન અને ગાડીમાંથી એક એક લાશ મળી
સિગ્રેચર બ્રિજથી લઈને વજીરાબાદ રોડ, દયાલપુર, કરાવલ નગર અને ગૌકુલપુરી વિસ્તારમાં દુકાનો અને ગાડી સળગાવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં દુકાન તથા ગાડીમાંથી લાશ મળી ચુકી છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઢગલા અને સળગેલા કાટમાળમાંથી લાશો મળી શકે છે. શિવ વિહારમાંથી એક દુકાનમાં કામ કરનાર વ્યક્તિની ગુરુવારે નગ્ન હાલતમાં લાશ મળી હતી. તેમજ સોનિયા વિહારમાં ગ્રીન ગાર્ડનમાં એક સળગી રહેલી કાર પાસે બોડી મળી છે. જેની ઓળખ થઈ શકી નથી.
ગટરમાંથી નીકળી રહી છે લાશ
સિંચાઈ અને પુર નિયંત્રણ વિભાગના કર્મચારી અનિલ ત્યાગીએ જણાવ્યું હતું કે ગુરુવારે ગટરના કચરામાંથી લાશ તરતી મળી હતી. તેમણે કહ્યું હતું કે જેવી લાશ મળી કે ટોળુ ભેગું થઈ ગયું. આ વિસ્તારમાં કરફ્યુ હોવાથી તાત્કાલિક ફોર્સ મોકલી તેમને હટાવવામાં આવ્યાં છે. તેમજ કેટલીક જગ્યાએ લાશોની ઓળખ થઈ શકી નથી. ત્યાના સ્થાનિકોનું કહેવું છે કે આ લાશ અહીની નથી તે બીજા વિસ્તારમાંથી અહીં આવી હશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની હિંસામાં મોટા ભાગના મૃતદેહ ગટરમાંથી મળી આવ્યા છે.