નાગરકિતા સંશોધન કાયદા (CAA) ને લઇને શરૂ થયેલી હિંસાથી ઉત્તર પૂર્વ દિલ્હીમાં સ્થિતિ એટલી બગડી ગઇ છે કે એક મહીના માટે કલમ 144 લગાવામાં આવી છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં સોમવારે જારી હિંસામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં આજે મંગળવારે પથ્થરમારો થયો. આ સાથે જ અત્યાર સુધીમાં 150 લોકો ઘાયલ થયાં છે.
દિલ્હીના CM કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ રાજઘાટ ખાતે દિલ્હીમાં શાંતિ માટે પ્રાર્થના કરી
દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં મરનાર 10 લોકોમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ છે. આ સાથે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્હીમાં સોમવારે ભડકેલી હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલને આજે પૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી.
Delhi: Wreath-laying ceremony underway of Delhi Police Head Constable Rattan Lal who lost his life during clashes in North East Delhi yesterday. #DelhiViolencepic.twitter.com/3OOandOtfn
નાગરિકતા સંશોધન કાયદો (CAA) ને લઇને ઉત્તર પૂર્વી દિલ્હીમાં હિંસા રોકાવાનું નામ લઇ રહી નથી. જાફરાબાદ, મૌજપુર સહિત કેટલાંક વિસ્તારોમાં સોમવાર બાદ મંગળવારે પણ ભજનપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ થયા બાદ પથ્થરમારો થયો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત નિપજ્યાં છે.
પથ્થરમારા બાદ હવે ત્યાં મોટી સંખ્યામાં પોલીસદળોની તૈનાતી કરવામાં આવી રહી છે. પથ્થરમારાના કારણે ઘણા બધા લોકોને ઇજા પહોંચી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અર્ધસૈનિક દળની 37 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.
પથ્થરમારની ઘટના એ સમયે શરૂ થઇ જ્યારે બે જૂથ CAA ના સમર્થન અને વિરોધમાં ભજનપુરા ચોકમાં આમને-સામને આવી ગયા. સોમવારના રોજ ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદ, મૌજપુર સહિત કેટલાંક વિસ્તારોમાં હિંસા ભડકી હતી.
કેજરીવાલે કરી શાંતિ પ્રાર્થના
તો બીજી બાજુ દિલ્હીમાં શાંતિ માટે કોશિશ કરી રહેલા દિલ્હીના સીએમ કેજરીવાલ અને ડે.સીએમ મનીષ સિસોદિયા રાજઘાટ પહોંચ્યા હતાં. બંને નેતાઓએ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાજઘાટ પર કેજરીવાલ અને મનીષ સિસોદિયાની સાથે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.
Delhi CM Arvind Kejriwal, deputy CM Manish Sisodia and other Aam Aadmi Party (AAP) leaders at Raj Ghat. pic.twitter.com/wi7asYUVFk
શાંતિ પ્રાર્થના બાદ રાજઘાટ પર સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયાને કહ્યું કે સંપૂર્ણ દેશ દિલ્હીની હિંસા લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસોમાં થઈ રહેલી હિંસાને લઈને સરકાર ચિંતિત છે. તેમણે કહ્યું કે આ હિંસામાં જાન-માલ અને સંપત્તિનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે જો હિંસા વધે છે તો તેની અસર તમામ લોકો પર પડશે. કેજરીવાલે કહ્યું અમે તમામ ગાંધીજીની સામે શાંતિ પ્રાર્થના કરવા આવ્યા હતાં જે અહિંસાના પૂજારી હતાં.
દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી આર કે મીણાએ કહ્યું કે અત્યાર સુધી આ ક્ષેત્ર શાંતિપૂર્ણ રહ્યું છે અને ક્યાંથી પણ કોઇ અપ્રિય ઘટનાના સમાચાર મળ્યાં નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઇજાગ્રસ્તોને મળવા GTB હોસ્પિટલ જશે. GTB હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારોમાં વધારાના સ્ટ્રેચર અને વ્હીલચેર મોકલવામાં આવ્યાં.
દિલ્હીની હિંસામાં ચેનલના બે રિપોર્ટરો સાથે હિંસક ટોળાએ દૂર્વ્યવહાર કર્યો. મૌજપુરમાં એક અન્ય ટીવી ચેનલના મહિલા પત્રકાર સાથે પણ હિંસક ટોળાએ ખરાબ વર્તન કર્યું હતું.
નવી દિલ્હીના બ્રહ્મપુરી અને મોજપુર વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ પથ્થરમારા તેમજ હિંસક પ્રદર્શન જોવા મળ્યું છે. આજે સવારે કેટલાંક વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો. રવિવારે શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં હેડ કોન્સ્ટેબલ સહિત અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. દિલ્હી હિંસાને લઇને ગૃહ મંત્રાલયની બેઠક યોજી હતી.