મુંડકા ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને પગલે સ્થાનિકો રોહતક રોડ પર ધરણા પર બેઠા છે. જેને પગલે 15 કિમીનો ટ્રાફિક જામ થયો.
મુંડકા ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અનેક મહિનાઓથી
સમસ્યા ઉકેલ ન આવતા સ્થાનિકો અનિશ્ચિતકાલીન ધરણા પર
રોહતક રોડપર લગભગ 15 કિમીનો લાંબો ટ્રાફિક જામ
મુંડકા ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અનેક મહિનાઓથી
દિલ્હીના પૂર્વ સીએમ સાહબ સિંહ વર્માના ગામ મુંડકામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી અનેક મહિનાઓથી હેરાન થઈ રહેલા સ્થાનિક નિવાસી સોમવારે સવારે મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે ટીકરી બોર્ડર તરફથી આવનારા રાષ્ટ્રીય રાજમાર્ગ પર અનિશ્ચિતકાલીન ધરણા પર બેઠા છે. આ જ કારણે દિલ્હી -હરિયાણા રાષ્ટ્રીય રાજમાર્ગ (રોહતક રોડ) પર લગભગ 15 કિમીનો લાંબો ટ્રાફિક જામ લાગ્યો છે.
સમસ્યા ઉકેલ ન આવતા સ્થાનિકો અનિશ્ચિતકાલીન ધરણા પર
ધરણા અને જામના ચાલતા રાહદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે પોતાની ઓફિસ માટે નિકળેલા લોકો જ્યાં ત્યાં ફસાયેલા હતા અને પ્રદર્શનકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે પાક્કુ આશ્વાસન માંગ પર અડેલા છે. પૂર્વ સીએમ વર્માના ભાઈ તથા પૂર્વ મેયરના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ગામના લોકો ધરણા પર બેઠા છે. મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ છે.
વરિષ્ઠ અધિકારીઓને ગ્રામીણો સાથે વાતચીત કરી મામલો ઉકેલવાનો પ્રયાસ
રસ્તા પર લાગેલા ભારે જામને જોતા દિલ્હી ટ્રાફિક પોલીસે બન્ને સાઈડનો રોડ બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરવાનું શરુ કરી દીધું છે. આ સાથે જ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ગ્રામીણો સાથે વાતચીત કરી મામલો ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Traffic Alert
मुंडका मेट्रो स्टेशन के नीचे प्रदर्शन के कारण दोनों साइड का ट्रैफिक बंद कर दिया हैI ट्रैफिक को नांगलोई पानी की टंकी से नजफगढ़ की तरफ व घेवरा मोड़ से कंझावला की तरफ मोड़ दिया गया हैI
ગામ જ નહીં પણ મુખ્ય માર્ગો પર પણ પાણીના નિકાલની વ્યવસ્થા નથી
સ્થાનીય નિવાસી રોશન લાલ લાકડાએ જણાવ્યું કે ગામ જ નહીં પણ મુખ્ય માર્ગો પર પણ પાણીના નિકાલની વ્યવસ્થા નથી. જેના કારણે હળવા વરસાદથી પણ રોહતક રાષ્ટ્રીય રાજમાર્ગ પર પાણી ભરાય જાય છે. 2-3 કિમીનું અંતર કાપવામાં પણ 2-3 કલાક લાગે છે. આ પહેલા પણ ધરણા -પ્રદર્શન કર્યા અધિકારીઓએ કામગીરીનું આશ્વાસન આપ્યું પણ કોઈ અમલ નથી કરાયો. જેથી લોકો નારાજ છે.
ટ્રાફિક ડાયવર્ડ કરવામાં આવ્યો
દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વીટ કરી જણાવ્યું કે મુંડકા મેટ્રો સ્ટેશનની નીચે પ્રદર્શનના કારણે બન્ને સાઈડના ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યા છે. ટ્રાફિકને નાંગલોઈ પાણીની ટાંકીથી નજફગઢ તરફ તથા ઘેવરા મોડથી કંઝાવલા તરફ ડાયવર્ડ કરવામાં આવ્યો છે.