રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે જે ચોથી લહેરના ભણકારા સમાન છે.
દિલ્હીમાં કોરોના મજબૂત બન્યો
ગઈકાલ કરતા આજે કેસમાં આવ્યો 12 ટકાનો ઉછાળો
છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા 517 કેસ
પોઝિટિવિટી રેટ 4.21 ટકા થયો
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં શનિવારની તુલનામાં છેલ્લા 24 કલાકમાં 12 ટકાનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડ-19ના 517 નવા કેસ સામે આવ્યા છે.જો કે આ દરમિયાન કોરોનાના કારણે કોઈનું મોત થયું નથી. પોઝિટિવિટી રેટ 5.33 ટકાથી ઘટીને 4.21 ટકા થયો છે.
Delhi reports 517 fresh #COVID19 cases, 261 recoveries, and zero deaths in the last 24 hours.
20 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 20 ફેબ્રુઆરીએ કોરોના સંક્રમણના 570 કેસ સામે આવ્યા હતા. તે જ સમયે, દિલ્હીમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 1518 છે, જે 3 માર્ચ પછીની સૌથી વધુ છે. 3 માર્ચ સુધી દિલ્હીમાં 1588 એક્ટિવ દર્દી હતા.
કોરોના સર્વેએ ટેન્શન વધાર્યું
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં કોવિડ-19ને લઈને એક સર્વે સામે આવ્યો છે. કોવિડ અંગે સર્વેમાં કરવામાં આવેલો દાવો ખરેખર ચોંકાવનારો છે અને તેમાં થોડું પણ સત્ય હોય તો ભવિષ્યમાં ખતરો વધી શકે છે તેવું અનુમાન લગાવી શકાય છે.
15 દિવસમાં કોરોના કેસમાં આવ્યો 500 ગણો વધારો
દિલ્હીમાં કોવિડ પર કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર પોતાના નજીકના લોકોને કોવિડ રિપોર્ટ કરનારા લોકોની સંખ્યામાં 500 ટકાનો વધારો થયો છે. દિલ્હી એનસીઆરમાં લગભગ 19 ટકા લોકોએ એક સર્વેમાં જણાવ્યું છે કે તેમને ઓળખનારા એક અથવા વધુ લોકો છેલ્લા 15 દિવસમાં કોરોનાથી સંક્રમિત થયા છે.કોરોનાના કેસ પર સર્વે કરનારી ફર્મ લોકલસર્કિલે કહ્યું કે, જો તમે છેલ્લા 15 દિવસના ડેટા પર નજર નાખો તો સંક્રમણના કેસોની સંખ્યામાં 500 ટકાથી વધુનો વધારો થયો છે. આ સર્વેમાં દિલ્હી અને એનસીઆરના તમામ જિલ્લાના 11,743 લોકોની માહિતી લેવામાં આવી હતી.