રાજધાની દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત મોટો ઉછાળો આવી રહ્યો છે જેને પગલે કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ હોવાની શક્યતા છે.
દિલ્હીમાં સોમવારે રાતથી નાઈટ કર્ફ્યુ
રાજધાનીમાં ઓમિક્રોનના સૌથી વધારે 142 કેસ
કોરોનાના કેસોએ પણ તોડ્યો રેકોર્ડ, સોમવારે નોંધાયા 331 કેસ
દિલ્હીમાં છેલ્લા છ દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે અને દિનપ્રતિદિન કેસમા મોટો ઉછાળો આવી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર શરુ છે. રાજધાની દિલ્હીમાં સોમવારે રાતથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ આજે શરૂઆતમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે ૬ જૂન પછી એક દિવસમાં સૌથી વધુ 331 નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું પણ મોત નીપજ્યું છે. રાજધાનીમાં સંક્રમણ દર હવે વધીને ૦.૬૮ ટકા થઈ ગયો છે.આ પહેલા જુનમાં દિલ્હીમાં આટલા કોરોનાના કેસ નોંધાયા હતા. છ મહિના બાદ પહેલી વાર સોમવારે કોરોનાના નવા 331 કેસ નોંધાતા દેશની ચિંતા વધી છે.
#COVID19 | Delhi reports 331 positive cases, one death, and 144 recoveries in the last 24 hours. Active cases 1,289
દિલ્હીમાં ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે અને આ સંદર્ભમાં રાજધાની મહારાષ્ટ્રને પાછળ છોડી ગઈ છે. ભારતમાં ઓમિક્રોન કેસોની સંખ્યા હવે વધીને ૫૭૮ થઈ ગઈ છે. દિલ્હીમાં સૌથી વધુ ૧૪૨ ઓમિક્રોન કેસ છે તથા બીજા ક્રમે મહારાષ્ટ્ર છે.
દિલ્હીમાં કોરોનાના રેકોર્ડ કેસ
દિલ્હીમાં કોરોના કેસે સાત મહિનાનો રેકોર્ડ તોડ્યો છે તથા સતત બે દિવસથી ટ્રાન્ઝિશન રેટ 0.5 ટકાથી ઉપર રહ્યો છે. આંકડાઓ અનુસાર દિલ્હીમાં કોરોનાના 331 કેસ નોંધાયા છે અને 144 કેસ સાજા થઈ ગયા છે. સાથે જ એક દર્દીનું પણ મોત થયું છે. દિલ્હીએ છેલ્લા 24 કલાક દરમિયાન 48589 ટેસ્ટ કર્યા હતા. દિલ્હીમાં સોમવારે ૬ જૂન પછી સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને ૨ જૂન પછીનો સૌથી વધુ પોઝિટીવીટી રેટ નોંધાયો છે. આ પહેલા 6 જૂને કોરોનાના 331 કેસ પણ હતા. હાલ દિલ્હીમાં કુલ 1289 સક્રિય કેસ છે, જેમાંથી 692 લોકો હોમ આઇસોલેશનમાં છે.
આજ રાતથી નાઈટ કર્ફ્યુનો અમલ
કોરોનામાં વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સોમવારે રાત્રે 11 વાગ્યાથી નાઈટ કર્ફ્યુ શરૂ થશે. તે દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ, આવશ્યક ચીજવસ્તુઓ ખરીદનારા લોકો અને મુસાફરોને રેલ્વે સ્ટેશનો, બસ સ્ટોપ અને એરપોર્ટમાંથી મુક્તિ આપશે. આ પ્રતિબંધો રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.
દિલ્હીમાં યલો એલર્ટ
કોરોના અને ઓમિક્રોનના વધી રહેલા કેસને કારણે કેજરીવાલ સરકારે રાજધાનીમાં યલો એલર્ટ જારી કર્યું છે. યલો એલર્ટ જારી થવું એટલે કોરોનાના કડક પ્રતિબંધો લાગુ પડવા. દિલ્હીમાં આજથી નાઈટ કર્ફ્યુ લાગુ પડી રહ્યો છે અને યલો એલર્ટ જારી થયું હોવાથી હવે કોરોનાના વધારે કડક પ્રતિબંધો પણ લાગુ પડશે.
કેરળ અને મિઝોરમમાં ઓમિક્રોનનો પહેલો કેસ
કેરળમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. બ્રિટનથી કેરળ આવેલા 8 વર્ષનો એક છોકરામાં ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યાં છે હાલમાં તેને આઈસોલેટ કરી દેવાયો છે.