દિલ્હીમાં કોરોનાની બીજી લહેરનો કેર હવે ઝડપથી ઘટી રહ્યો છે. દિલ્હીમાં 24 કલાકમાં ફક્ત 2200 નવા કેસો નોંધાયા છે અને પોઝિટિવિટી રેટ પણ ઘટીને 3 ટકા થયો છે.
દિલ્હીમાં કોરોનાનો કેર પૂરો થયો
દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 2200 નવા કેસો
પોઝિટિવિટી રેટ પણ ઘટીને 3 ટકા થયો
દિલ્હીમાં છેલ્લા પાંચ-છ દિવસથી સતત કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ મૃતકોની સંખ્યા પણ ઘટી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ વતી જારી હેલ્થ બુલેટિન અનુસાર, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ફક્ત 2260 કેસ મળ્યાં છે તો 182 લોકોના મોત થયા છે. હવે સંક્રમણ દર ઘટીને 3.58 ટકા પર આવી ગયો છે જે શુક્રવારે 4.76 ટકા હતો.
બે મહિનામાં માત્ર 6-7 કરોડ ડોઝ બની રહ્યા છે જે ખૂબ જ નહિવત છે
CM કેજરીવાલે જણાવ્યું કે "આખા દેશમાં વેક્સિનઈ અછત વર્તાઇ રહી છે અને આ કારણે અમુક રાજ્યોમાં વેકસીનેશન શરૂ પણ નથી થઈ શક્યું. આજે માત્ર 2 જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે અને છેલ્લા બે મહિનામાં માત્ર 6-7 કરોડ વેક્સિન ડોઝ બની રહ્યા છે, જો આ રીતે કામ કરીશું તો બે વર્ષ લાગી જશે આખા દેશમાં રસીકરણ કરતાં કરતાં." અને જો આવું જ ચાલતું રહ્યું તો ખબર નહીં કોરોનાની કેટલીય લહેરો આવતી રહેશે. કેટલાય લોકોનાં જીવ જશે અને ભારત બરબાદ થશે.
બીજી બધી કંપનીઓને પણ મંજૂરી આપો
તેમણે જણાવ્યું કે હાલ માત્ર દેશની બે જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે. તો કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે તમે આ વેક્સિનનો ફોર્મ્યુલા બીજી કંપનીઓને પણ આપો. આ સંકટ સમયમાં તમારી પાસે હક છે આ પ્રસ્તાવને અમલમાં મુકવાનો. અને આ કરવાથી દેશમાં રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપી થઈ જશે.