રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસનો રેકોર્ડ તૂટ્યો છે. 104 દિવસ બાદ સોમવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 1904 કેસ નોંધાયા છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસનો રેકોર્ડ તૂટ્યો
104 દિવસ બાદ નોંધાયા 1904 નવા દર્દી
કુલ કેસનો આંકડો 6,59,619 પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં 1984 નવા કેસ નોંધાયા હતા. સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો ગત 24 કલાક દરમિયાન 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતા.
કુલ કેસનો આંકડો 6,59,619 પહોંચ્યો
દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં 1411 દર્દીઓ સાજા થયાં છે. આમ દિલ્હીમાં કુલ કેસનો આંકડો 6,59,619 પહોંચ્યો છે અને 6,40,575 દર્દીઓ સાજા થયાં છે.
Delhi reports 1904 new #COVID19 cases, 1411 recoveries and 6 deaths in the last 24 hours.
Total cases 6,59,619
Total recoveries 6,40,575
Death toll 11,012
દિલ્હી સરકારની કોરોના એપ્લિકેશન મુજબ, શહેરની 5 મોટી હોસ્પિટલોના આઇસીયુમાં વેન્ટિલેટરવાળા બેડ નથી. ઓખલાની હોલી ફેમિલી હોસ્પિટલ વિશે વાત કરતાં આઠ વેન્ટિલેટરવાળા તમામ આઈસીયુ બેડ ભરેલા છે. શાલીમાર બાગની મેક્સ હોસ્પિટલ અને ફોર્ટિસ હોસ્પિટલમાં આઈસીયુ બેડ પણ ઉપલબ્ધ નથી વસંત કુંજ સ્થિત ઇન્ડિયન સ્પાઇન ઇન્જરી સેન્ટરમાં પણ આવું જ છે. જ્યારે સર ગંગારામ હોસ્પિટલમાં એક જ પથારી બતાવી રહ્યા છે.
વેન્ટિલેટરવાળા પલંગ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. હોસ્પિટલોમાં 5765 પલંગ કોવિડ માટે આરક્ષિત છે, જેમાંથી 4301 ખાલી છે. જ્યારે વેન્ટિલેટરથી સજ્જ 785 માંથી 544 પથારી ખાલી છે. ત્યાં વેન્ટિલેટર વિના 1210 આઇસીયુ પલંગ છે, જેમાંથી 887 ખાલી છે. હોસ્પિટલો પણ કેસ વધતાંની તૈયારી કરી રહી છે. મેક્સ હોસ્પિટલના ગ્રુપ ડિરેક્ટર ડો.સંદીપ બુધિરાજાએ જણાવ્યું હતું કે કોરોના કેસ વધતાં અમે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ. સંસાધનોમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ઉત્તરાખંડની હોટલમાં 76 કર્મી કોરોના પોઝિટિવ
તો આ તરફ ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ઋષિકેશની તાજમાં 76 લોકો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારબાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વાા ત્રણ દિવસ માટે હોટલને બંધ કરવાના આદેશ આપ્યા છે. ટિહરી-ગઢવાલ એસએસપીએ જણાવ્યું કે, હોટલને સનેટાઇઝ કરવાની હોવાથી બંધ કરવામાં આવી છે.
Hotel Taj in Rishikesh closed for three days by the district administration, after 76 people were found to be #COVID19 positive there. The hotel was sanitised and has been closed as a precautionary measure: Tehri Garhwal SSP, Tripti Bhatt#Uttarakhand
આપને જણાવી દઇએ કે, ઋષિકેશમાં બદરીનાથ રાજમાર્ગ સ્થિત સિંગસાટી નજીક તાજ હોટલમાં શનિવારે 25 અન્ય કર્મી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે, ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર વધારો થયો હતો.