રાજધાની દિલ્હીમાં હવે કોરોના ફૂલ સ્પીડમાં આવ્યો છે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 1490 કેસ આવ્યાં છે.
દિલ્હીમાં ફૂલ સ્પીડમાં આવ્યો કોરોના
છેલ્લા ચોવીસ કલાકમાં 1490 નવા કેસ
ગઈકાલે રાજધાનીમાં કોરોનાના 1367 કેસ
દિલ્હીના આરોગ્ય મંત્રીનો દાવો-પરિસ્થિતિ ગંભીર નથી
ભારતમાં ચોથી લહેરનો ડર
રાજધાની દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની પૂરી સંભાવના છે. દિલ્હીમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના 1000થી વધારે કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 1490 કેસ સામે આવ્યા છે તથા બે લોકોના મોત થયા છે. ગઈકાલે 1367 કેસ નોંધાયા હતા.આ રીતે જોવા જઈએ તો એક દિવસમાં કોરોના કેસમાં 130નો વધારો આવ્યો છે. આરોગ્ય વિભાગના બુલેટિન અનુસાર, દિલ્હીમાં બુધવારે 32,248 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતા જેમાં 4.62 ટકા દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 18,79,948 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 18,48,526 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 26,172 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ દર 1.39 ટકા છે. વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોરોનાના સક્રિય દર્દીઓ વધીને 5250 થઈ ગયા છે. જેમાંથી 3636 દર્દીઓ હોમ આઈસોલેશનમાં દાખલ છે જ્યારે 124 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાંથી 37 આઇસીયુમાં, 44 ઓક્સિજન સપોર્ટ પર અને 2 વેન્ટિલેટર પર દાખલ છે.
Delhi reports 1490 new #COVID19 cases, 1070 recoveries, and 2 deaths in the last 24 hours.
સતત 7મા દિવસે 1000થી વધારે કેસ
દિલ્હીમાં સતત 7મા દિવસે 1000થી વધારે કેસ આવ્યાં છે. દિલ્હીનો વધારો 4થી લહેરનો સૂચક છે.
દિલ્હીમાં ચોથી લહેર શરુ થઈ હોવાની શક્યતા
દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે.
નવા વેરિયન્ટને કારણે દિલ્હીમાં કેસ વધી રહ્યાં હોવાનો નિષ્ણાંતનો દાવો
બેંગલુરુની ટાટા ઈન્સ્ટીટ્યૂટ ઓફ જિનેટિક્સ એન્ડ સોસાયટીના ડોક્ટર રાકેશ મિશ્રાએ કહ્યુ કે કોરોના વાયરસથી જોડાયેલ ખતરો હજુ ઓછો થયો નથી અને લોકોએ આ વાયરસથી બચાવવા માટે તમામ જરૂરી સાવધાની રાખવી જોઈએ. આ વાયરસની અસરથી બચવા માટે પૂરતી સાવચેતી અને પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે જો કોઈ વિસ્તારમાં કેસ વધી રહ્યાં હોય તો તે સ્પસ્ટ સંકેત છે ત્યાં કોઈ નવો વેરિયન્ટ અસ્તિત્વમાં છે અને તેને કારણે જ કેસ વધી રહ્યાં છે.શકીએ નહીં.
કેસ વધી રહ્યાં છે છતા મંત્રીનો દાવો પરિસ્થિતિ ચિંતાજનક નથી
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે કહ્યું કે રાજધાનીમાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી કારણ કે લોકો ગંભીર રીતે બીમાર નથી થઈ રહ્યા અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનો દર ઓછો છે.જૈને એમ પણ કહ્યું હતું કે બાળકોમાં કોવિડ ચેપના કેસોથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઘણા સીરો સર્વે બતાવે છે કે બાળકો અને પુખ્ત વયના લોકોમાં ચેપનો દર લગભગ સમાન છે પરંતુ ગંભીર રીતે બીમાર પડવાનું જોખમ નથી.