દિલ્હીમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઓછી થઈ ગઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1,072 નવા કેસો નોંધાયા છે તથા 117 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘટી
છેલ્લા 24 કલાકમાં ફક્ત 1,072 નવા કેસો
1 દિવસમાં 117 લોકોના મોત થયા
પોઝિટીવિટી રેટમાં પણ સતત ઘટાડો
દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 3725 લોકો સાજા થયા છે. જો નવા કેસોમાં ઘટાડાની ઝડપ આવી જ રીતે ચાલુ રહી તો ટૂંક સમયમાં દિલ્હી કોરોના મુક્ત બનશે.
દિલ્હીમાં પોઝિટીવિટી રેટમાં પણ સતત ઘટાડો આવી રહ્યો છે. ગુરુવારે પોઝિટિવીટી રેટ ઘટીને 1.53 ટકા થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 70, 068 ટેસ્ટ કરાયા છે તેમાં ફક્ત 1072 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં.
Delhi reports 1072 new #COVID19 cases, 3725 recoveries and 117 deaths in the last 24 hours.
Total cases 14,22,549
Total recoveries 13,82,359
Death toll 23,812
Active cases 16,378
વિદેશમાંથી વેક્સિન ખરીદવાના મામલે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં જણાવ્યું કે વેક્સિનેસનની બધી જવાબદારી રાજ્યો પર છોડી દેવી સારી વાત નથી. કેન્દ્ર સરકારે યુદ્ધ સ્તરે રસીકરણ અભિયાન ચલાવવું પડશે, નહીંતર કામ નહીં ચાલે. આ તો એવું થયું કે કાલે પાકિસ્તાન ભારતની સાથે યુદ્ધ જાહેર કરે તો કેન્દ્ર સરકાર કહી દેશે દિલ્હીવાળાએ પરમાણુ બોંબ બનાવ્યો, યુપી વાળાએ ટેન્ક ખરીદી છે.
વેક્સિન પૂરી પાડવાની જવાબદારી કેન્દ્ર સરકારની-કેજરીવાલ
જો યુદ્ધના સમયે કેન્દ્ર સરકાર રાજ્યોને કહી દે કે તમારા પોતાના હથિયારો સાબદા કરીને રાખો. આવું ન બની શકે. કેન્દ્ર સરકારની જવાબદારી વેક્સિન ખરીદવા અને સપ્લાય કરવાની છે.
સ્પુતનિક-વીના ઉત્પાદક દિલ્હીને વેક્સિન આપવા તૈયાર થયા
કેજરીવાલે જણાવ્યું કે સ્પુતનિક વીના નિર્માતા દિલ્હીના કોરોનાની વેક્સિન સપ્લાય પૂરો પાડવા તૈયાર થયા છે. પરંતુ વેક્સિનના કેટલા ડોઝ મળશે તે હજુ નક્કી નથી. દિલ્હીમાં બ્લેક ફંગસના લગભગ 620 કેસ છે અને તેની સારવારમાં કામમાં આવતી એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનની પણ અછત છે. કેજરીવાલે જણાવ્યું કે સ્પુતનિક સાથે વાતચીત ચાલી રહી છે. અમારા અધિકારીઓ અને વેક્સિન ઉત્પાદકોના પ્રતિનિધિઓની વચ્ચે મંગળવારે મુલાકાત થઈ હતી.
2 મહિનામાં 40 હજાર બાળકો કોરોનાગ્રસ્ત
કર્ણાટકમાં બાળકોની વચ્ચે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભલે એક્સપર્ટે ત્રીજી લહેરમાં બાળકો પર સંકટ ગણાવ્યુ હોય પરંતુ બીજી લહેરમાં પણ આ આંકડા ડરાવી રહ્યા છે. કર્ણાટકમાં ફક્ત 2 મહિનાની અંદર 0-9વર્ષના લગભગ 40 હજાર બાળકો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે 10-19 વર્ષના કિશોરોની સંખ્યા 1 લાખને પાર પહોંચી ગઈ છે. આ સંખ્યા લગભગ 1, 05, 044 છે. આ આંકડા 18 માર્ચથી 18 મેની વચ્ચેના છે. જે દર્શાવવા માટે પુરતા છે કે કેવી રીતે કોરોના હવે બાળકો પર સંકટ બની ચૂક્યો છે. પોઝિટિવિટીમાં 0-9વર્ષના બાળકોમાં 143 ટકા અને 10-19 વર્ષના બાળકોમાં 160 ટકા છે.