દિલ્હીમાં પોઝિટિવીટી રેટમાં પણ મોટો ઘટાડો થયો છે. હવે દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 11.32 ટકા થયો છે.
દિલ્હીના દરેક જિલ્લામાં ઓક્સિજન કન્સટ્રેટર બેન્ક શરુ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના દર્દીઓના જીવ બચાવતું સાધન ઓક્સિજન કન્સટ્રેટર બેન્ક બનાવવાની જાહેરાત કરી છે.દિલ્હીના દરેક જિલ્લામાં ઓક્સિજન કન્સટ્રેટર બેન્ક શરુ કરવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે હોમ આઈસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓ ઘેર બેઠા ઓક્સિજન કન્સટ્રેટરની માંગ કરી શકશે અને તેમને ઘેર બેઠા આ સાધન પુરુ પાડવામાં આવશે. હોમ આઈસોલેશનના દર્દીઓને મોટી રાહત
કેજરીવાલે જણાવ્યું કે આજથી અમે એક મહત્વની સેવા શરુ કરવા જઈ રહ્યાં છીએ. અમે ઓક્સિજન કન્સટ્રેટર બેન્ક શરુ કરી રહ્યાં છીએ. દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કન્સટ્રેટરની બેન્ક શરુ થશે. કેજરીવાલે જણાવ્યું કે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે મેડિકલ ઓક્સિજનની જરુર હોય ત્યારે તેમને આઈસીયુમાં દાખલ કરવાની નોબત આવે છે. ક્યારેક તો દર્દીઓના મોત પણ થાય છે. આ સમસ્યાને હલ કરવા માટે અમે આવી બેન્ક શરુ કરી છે.
કેજરીવાલે ઉમેર્યું કે જો હોમ આઈસોલેશનમાં રહેલા કોઈ દર્દીને મેડિકલ ઓક્સિજનની જરુર પડે તો અમારી ટીમ બે કલાકની અંદર તેમને ઘેરબેઠા આ સુવિધા પુરી પાડશે. ટેકનીકલ વસ્તુના જાણકાર એક અધિકારી કોરોનાના દર્દીના ઘેર જશે. કેજરીવાલે જણાવ્યું કે હોસ્પિટલમાંથી સાજા થઈને ઘેર આવેલા દર્દીઓ પણ જરુર પડે આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. જોકે આ વસ્તુ જરુરિયાતમંદ લોકોને જ મળે તવી ખાતરી અમારી ટીમ રાખશે.
કેજરીવાલે જણાવ્યું કે 15 દિવસમાં આઈસીયુના 1000 બેડ તૈયાર કરાયા છે. તેનો બધો શ્રેય ડોક્ટર અને એન્જિનિયરને ફાળે જાય છે. આ બધા લોકોને દિલ્હીના લોકો તરફથી સલામ.