મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં નિધન થતા પક્ષે દિગ્ગજ નેતા ગુમાવ્યા હતા. તેમના નિધનને પગલે પાર્ટીના પીઢ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે. નોંધનીય છે કે, સુષમા સ્વરાજે નિધન પામ્યાના 4 કલાક પહેલા અંતિમ ટ્વીટ કર્યું હતું.
અંતિમ ટ્વિટ 2 કલાક પહેલા
प्रधान मंत्री जी - आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji - Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે મૃત્યુ પામ્યાના 4 કલાક પહેલા જ એક ટ્વીટ કર્યું. આ ટ્વીટ તેમનું અંતિમ ટ્વીટ બન્યું હતું. સુષમા સ્વરાજે આ ટ્વીટ 370ની કલમને અનુલક્ષીને લખતાં કહ્યું કે, પ્રધાનમંત્રીજી- આપને હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસને જોવાની પ્રતિક્ષા કરી રહી હતી.
સુષમા સ્વરાજની સફર
અંબાલા છાવણીમાં જન્મેલ સુષમા સ્વરાજે એસ.ડી કોલેજમાં બીએ અને પંજાબ વિશ્વવિદ્યાલય ચંદીગઢમાં વકીલની ડિગ્રી મેળવી હતી. અભ્યાસ કર્યા બાદ તેમણે પહેલા જયપ્રકાશ નારાયણના આંદોલનમાં ભાગ લીધો હતો. ઇમરજન્સીનો ભારે વિરોધ કર્યાબાદ તેઓ સક્રિય રાજનીતિથી જોડાયા હતા.
વર્ષ 2014માં તેમને ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. જ્યારે આ પહેલા ઇન્દિરા ગાંધી કામચલાઉ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. કેબિનટમાં તેમને સામેલ કરીને તેમના કદ અને કાબિલિયતને સ્વિકારી હતી. તેઓ દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશમાં કોઇ રાજકિય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બન્યા હતા.
ભાજપના સ્થાપક નેતાઓમાંના એક હતા સુષ્મા
એક સમયના ભાજપના પ્રધાનમંત્રી પદના દાવેદાર હતા. ભાજપના સ્થાપક નેતાઓમાંના એક હતા સુષ્મા. તેમણે ABVPથી રાજનીતિની શરૂઆત કરી હતી. તેઓ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. UPA 2 સરકાર દરમિયાન વિરોધ પક્ષના નેતા હતા. સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ ભાજપના નેતા હતા. જયપ્રકાશ નારાયણ આંદોલનમાં તેઓ સક્રિય હતા.
ખાસ બાબતો
1977માં તેઓ દેશના પ્રથમ કેન્દ્રિય મંત્રીમંડળના સભ્ય બન્યા હતા, તે પણ 24 વર્ષની ઉંમરે
1971માં 27 વર્ષની ઉંમરે તેઓ જનતા પાર્ટી, હરિયાણાના રાજ્ય અધ્યક્ષ બન્યા હતા
સ્વરાજ ભારતની કોઇ રાષ્ટ્રીય રાજકીય પાર્ટીની પ્રથમ મહિલા પ્રવક્તા બન્યા હતા
આ સિવાય પણ તેઓ ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, મહાસચિવ, વિપક્ષના નેતા અને વિદેશમંત્રી બન્યા હતા.
તેઓ ભારતીય સંસદના પ્રથમ એક માત્ર મહિલા સભ્ય હતા જેઓ આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટેરિયનનું સમ્માન મળ્યું હતું. તેમને ચાર રાજ્યોથી 11 વખત સીધા ચૂંટણી લડ્યા હતા.
2019માં ન લડ્યા ચૂંટણી
સુષ્મા સ્વરાજ ભાજપના સ્થાપક નેતાઓમાંના એક હતા. વાજયેપી કાળમાં ટોચના મહિલા નેતા અને પહેલી મોદી સરકારમાં વિદેશ મંત્રી હતા. તેઓ સુષમા સ્વરાજ ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. ત્યારે 2019માં તબીયતને ધ્યાને લઈને સુષમા ચૂંટણી નહોતા લડ્યા.