ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરુ કર્યો. દિલ્હીમાં રેલીને સંબોધન કરી ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો. આ દરમિયાન તેમણે આપ પર સીધું નિશાન સાધ્યું હતું. જાણો યોગીએ કેજરીવાલને નિશાન સાધતા એવું કહ્યું કે વિવાદનો મધપુડો છેડાયો.
યોગી આદિત્યનાથે કેજરીવાલ પર નિશાનો સાધ્યો
શાહીન બાગને લઈને કેજરીવાલ પર નિશાનો
યોગીએ યુપીનું ઉદાહરણ આપતા કહ્યું...
દિલ્હી સરકાર અહીંની જનતાને ઝેરી પાણી પુરુ પાડે છે
યોગીએ કહ્યું કે આજે શાહીન બાગમાં CAAની વિરુદ્ધ લોકો પ્રદર્શનમાં બેઠા છે. તેમને કેજરીવાલ બિરયાની પહોંચાડે છે. તેમણે કહ્યું કે કેજરીવાલ દિલ્હીવાસીઓને સાફ પાણી નથી આપતા, એક સર્વે મુજબ દિલ્હી સરકાર અહીંની જનતાને ઝેરી પાણી પુરુ પાડે છે. પરંતુ શાહીન બાગમાં પ્રદર્શન કરનારા લોકોને બિરીયાની જરુર પહોંચાડે છે. નોંધનીય છે કે યોગીએ દિલ્હીમાં 4 રેલી કરી છે. યોગીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી દેશનાં પીએમ બન્યા છે ત્યારથી આતંકવાદીને ઓળખ કરી તેને બિરયાની ખવડાવવાની જગ્યાએ ગોળી મારે છે.
દેશ વિરોધી સડયંત્ર કરનારાઓ પાછળ ખર્ચ થાય છે
યોગીએ એમ પણ કહ્યું કે દિલ્હીમાં એવી સરકાર બને કે દેશનું સ્વાભિમાન વધે. 5 વર્ષથી લોકોની નજર એવા લોકો પર છે જે આંદોલનનાં માઘ્યમથી આવ્યાં છે. આવ્યાં બાદ પણ દિલ્હીનાં લોકોને પ્રાથમિક જરુરીયાતો પુરી નથી પાડતાં. દિલ્હીનાં લોકોનાં વિકાસ માટે પૈસા ખર્ચ નથી થતા. પૈસા ખર્ચ થાય છે દેશ વિરોધી સડયંત્ર કરનારાઓ પાછળ. કેજરીવાલ જેવા લોકોએ દિલ્હીનું સાહાતાળ વાળી નાંખ્યું છે. તેમણે દિલ્હીનાં પ્રદુષણ અને યમુના નદીની સ્થિતી પર પણ કેજરીવાલ પર નિશાનો સાધ્યો હતો.
યુપીનું ઉદાહરણ આપતા કહ્યું કે...
યોગીએ કહ્યું હતું કે દિલ્હીમાં શાહીન બાગમાં જે લોકો બેઠા છે તેમણે યુપીમાં પણ એક દિવસ સ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તેમની પાસેથી એક એક પૈસા વસુલ્યા છે. પરંતુ દિલ્હી સરકાર તેમને બિરયાની ખવડાવે છે.