નાગરિકતા સંશોધન કાયદાને લઈને ફેલાયેલી આગ ક્યારે દિલ્હી પહોંચી ગઈ તેની ખબર જ ન રહી. રવિવારે જામિયા મીલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન હિંસક બન્યું ત્યારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ બેકાબૂ બની. રવિવારે સાંજે જામિયા નગર પાસેના સરાય જુલૈનાની પાસે કેટલાક લોકોએ જીટીસીની 3 બસને આગ લગાવી દીધી. જામિયાના વિદ્યાર્થીઓએ આ બસમાં આગ લગાવી. તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ સામેલ હતા. ત્યારબાદ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેટલીક ટ્વિટ કરીને દિલ્હી પોલીસ પર આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.
આગ લગાવવાના આરોપને લઈને દિલ્હી પોલીસે આપ્યો આ જવાબ
અમે આગ લગાવી રહ્યા ન હતા, બુઝાવી રહ્યા હતા: દિલ્હી પોલીસ
સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
હાલમાં એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ બસની અંદર જઈને જારથી કંઈક નાંખી રહ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ વીડિયોથી એક ફોટો લઈને ટ્વિટ કર્યું છે કે આ ફોટો જુઓ...કોણ બસ અને કારને આગ લગાવી રહ્યું છે. આ ફોટો સૌથી મોટો પૂરાવો છે બીજેપીની ગંદી ચાલનો. તેનો કંઈ જવાબ આપી શકશે ભાજપના નેતા.
इस बात की तुरंत निष्पक्ष जाँच होनी चाहिए कि बसों में आग लगने से पहले ये वर्दी वाले लोग बसों में पीले और सफ़ेद रंग वाली केन से क्या डाल रहे है.. ?
और ये किसके इशारे पर किया गया?
फ़ोटो में साफ़ दिख रहा है कि बीजेपी ने घटिया राजनीति करते हुए पुलिस से ये आग लगवाई है. https://t.co/8eaKitnhei
તેઓએ કહ્યું છે કે આ વાતની તરત જ તપાસ થવી જોઈએ. બસમાં આગ લગાવતાં પહેલાં આ વર્દી વાળા લોકો બસમાં પીળા અને સફેદ રંગના કેનથી શું નાંખી રહ્યા છે? આ કોના ઈશારે કરવામાં આવી રહ્યું છે? ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપે ગંદી રાજનીતિ કરીને પોલીસ પાસે આગ લગાવડાવી છે.
આગ લગાવવાના આરોપને લઈને દિલ્હી પોલીસે આપ્યો આ જવાબ
દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કહ્યું કે તમારે એ આખો વીડિયો જોવો જોઈએ. બસની બહાર આગ લાગી હતી. પોલીસ આગ બુઝાવવાને માટે બસમાં પાણી નાંખી રહી છે. જ્યારે અમે યુનિવર્સિટીમાં પ્રદર્શનકર્તાઓને શાંચ કરી રહ્યા હતા તો તેઓ અમારા પર પત્થરમારો કરી રહ્યા હતા. તેમને રોકવા માટે અમે ટીયરગેસનો ઉપયોગ કર્યો. આ એક અસાધારણ સ્થિતિ હતી. યૂનિવર્સિટીની અંદર પણ પોલીસ પર પત્થરમારો થઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાનો પૂર્વોત્તર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. આસામ, ત્રિપુરા, મેઘાલયમાં અનેક જગ્યાઓએ હિંસક પ્રદર્શન પણ થયું. 3 રાજ્યોમાં સ્થિતિ હાલમાં કાબૂમાં છે. અનેક જગ્યાઓએ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ છે. પીએમ મોદીએ ત્રણેય રાજ્યોના નાગરિકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.