સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર મળ્યા બાદ ભાજપ નેતા નુપૂર શર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે. નૂપુર શર્મા વિરુદ્ધ FIR નોંધાયા બાદ દિલ્હી પોલીસે કલમ 41એ અંતર્ગત તપાસમાં સામેલ થવા માટે નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી
નૂપુર શર્માને નોટિસ ફટકારી તપાસમાં સહયોગ આપવા જણાવ્યું
અગાઉ 18 જૂને નુપૂર શર્માએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે
સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર મળ્યા બાદ ભાજપ નેતા નુપૂર શર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે. નૂપુર શર્મા વિરુદ્ધ FIR નોંધાયા બાદ દિલ્હી પોલીસે કલમ 41એ અંતર્ગત તપાસમાં સામેલ થવા માટે નોટિસ ફટકારી છે. આપને જણાવી દઈએ કે, નુપૂર શર્મા પહેલા પણ તપાસ સામેલ થઈ ચુકી છે અને દિલ્હી પોલીસે 18 જૂને તેનું નિવેદન પણ નોંધ્યું છે. હકીકતમાં એક ટીવી ડિબેટમાં પયગંબર મહોમ્મદને લઈને કથિત રીતે વાંધાજનક ટિપ્પણી આપી હતી. ધીમે ધીમે આ મામલો ચગ્યો. તેના વિરોધમાં યુપીના કાનપુર, પ્રયાગરાજ સહિત કેટલાય શહેરોમાં હિંસા ફાટી નિકળી હતી. જુમાની નમાઝ બાદ ઉપદ્રવીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શન સાથે હિંસા ફાટી નિકળી હતી. મામલો થોડો શાંત થયો હતો, ત્યા ઉદયપુરમાં કનૈયાલાલ હત્યાકાંડથી ફરી વિવાદ છંછેડાયો હતો.
After the FIR was registered against Nupur Sharma, the Delhi Police sent a notice to join the investigation under section 41A
Nupur Sharma had already joined the investigation and Delhi Police had recorded her statement on 18th June
તો વળી આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગંભીર ટીપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને કડક શબ્દોમાં દેશ પાસે માફી માગવા કહ્યુ છે. કોર્ટે કહ્યું છે કે, નૂપુર શર્માએ પયગંબર પર કરેલી ટિપ્પણી ટીવી ડિબેટમાં કરી હતી, એટલા માટે ટીવીની સામે જ તેમણે માફી માગવી પડે. આ બાજૂ મુસ્લિમ ઉલેમાઓએ પણ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીનું સ્વાગત કર્યું છે.
નૂપુર શર્માને કડકમાં કડક સજા મળે
મુસ્લિમ સંગઠનોનું કહેવુ છે કે નૂપુર શર્માને કડકમાં કડક સજા મળે, જેનાથી ભવિષ્યમાં આવી કોઈ ટિપ્પણી કરીને દેશનો માહોલ ખરાબ ન કરે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર જમાત એ ઈસ્લામી હિન્દના ઉપાધ્યક્ષ મહોમ્મદ સલીમ એન્જીનિયરે પણ કોર્ટની ટિપ્પણી પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે, તેઓ આ ટિપ્પણીનું સ્વાગત કરે છે. આ ટિપ્પણીથી આશા જાગી છે. તેમણે કહ્યું કે, નુપુર દેશ પાસે માફી માગે તેનાથી તેનો ગુનો ઓછો થઈ જતો નથી. તેને કાયદાકીય રીતે સજા તો મળવી જ જોઈએ. સલીમ એન્જીનિયરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ આ વાત માની છે કે, નૂપુર શર્માના નિવેદનથી દેશમાં માહોલ ખરાબ થયો. તેમણે કહ્યું કે, નૂપુર શર્માની ધરપકડ ન કરતા દેશમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે.