દિલ્હીમાં રિંકુ શર્મા નામના શખ્સની હત્યા બાદ રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે.
દિલ્હીના મંગોલપુરીમાં ભાજપના કાર્યકર્તાની હત્યા પર જબરજસ્ત રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને વિશ્વિ હિંદુ પરિષદનો આરોપ છે કે રામ મંદિર નિર્માણ સાથે જાડાયા હોવાના કારણે હત્યા થઇ છે. ભાજપની સાથે પરિવારવાળાઓ પણ આરોપ લગાવી રહ્યાં છે, જો કે દિલ્હી પોલીસ આરોપીઓની ધરપકડ કરી મલાની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારના રાત્રે મંગોલપુરીમાં રિંકુ શર્મા નામના એક યુવકની ચાર લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. પોલીસના જણાવ્યાં અનુસારા રિંકૂના મિત્રએ પોતાના ત્રણ મિત્રો સાથે મળીને હત્યા કરી છે. આ હત્યા જન્મદિવસની પાર્ટીમાં રેસ્ટોરાન્ટ ખોલવાને લઇને વિવિધમાં કરવામાં આવી છે. પોલીસે બધા આરોપીની ધરપકડ કરી છે. જો કે પોલીસના દાવાથી ઉલટો રિંકૂના પરિવારજનોનું કહેવું છે કે હત્યા રામ મંદિરના કારણે થઇ છે.
પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી લીધી
પોસીસે જણાવ્યું છે કે આરોપીની ઓળખ મોહમ્મદ દાનિશ, મોહમ્મદ ઇસ્લામ, જાહિદ અને મોહમ્મદ મેહતાબ તરીક બતાવામાં આવી છે. દાનિશ અને ઇસ્લામ દર્જી છે, જાહિદ એક કોલેજનો વિદ્યાર્થી છે અને મેહતાબ 12માં ધોરણમાં ભણે છે. જો કે, રિંકના પરિવારનો દાવો છે કે હત્યા પાછળ માત્રને માત્ર નફરતથી ભરેલી માનસિકતા છે.
પરિવાર મુજબ આ રીતે થઇ હત્યા
રિંકુના ભાઇના જણાવ્યાં મુજબ રિંકૂ બુધવારની સાંજે એક જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો. જ્યારે તે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન ઘરની પાસે એક પાર્ક પાસે પાડોશમાં રહેનારા એક યુવક અને કેટલાક મિત્રો સાથે બોલાચાલી થઇ હતી, જ્યાં તેનો ઝઘડો થયો અને રિંકુ ભાગીને ઘરે આવી ગયો.
રિંકુના ભાઇના જણાવ્યાં મુજબ આરોપીઓ ઘર સુધી પીછો કરતા આવી ગયા અને રિંકુ પર ચપ્પાથી હુમલો કર્યો. ત્યારબાદ રિંકુનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.
ભાઇએ કહ્યું - રામ મંદિરના કાર્યક્રમ પછી મળી રહી હતી ધમકી
રિંકુના ભાઇએ કહ્યું કે રિંકુ એટલા માટે નિશાન પર આવી ગયો હતો કે તે એક સાચો રામ ભક્ત હતો, રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલો હતો અને ભાજપના કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લેતો હતો. રિંકુ સાથે ઘરેના વડીલો પર પણ હુમલો કરવામાં આવ્યો. જો કે આ હત્યા બા દિલ્હીની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
રિંકુની હત્યા બાદ ભાજપનો પલટવાર
રિંકૂ શર્માની હત્યા પછી ભાજપે પલટવાર કર્યો છે, પરંતુ દિલ્હી પોલીસ કહી રહી છે કે આ હુમલો જન્મદિવસની પાર્ટી દરમિયાન થયો છે. દિલ્હી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ તે પહેલા આ મુદ્દા રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે.
જો કે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું જો રિંકુનું નામ રેહાન હોય તો તેની હત્યા દેશની સૌથી મોટી ખબર બની ગઇ હોત, દરેક નેતા દરવાજા પર ઉભા હોત, રિંકુ શર્મા જીની હત્યા દિલ્હીમાં એવો પહેલો અપરાધ નથી. #JusticsForRinkuSharma.
જ્યારે બીજી તરફ દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું, દેશની રાજધાનીમાં થયેલી ઘટનાથી હું અત્યંત દુઃખી છું. શ્રીરામ મંદિર હેતુ સમર્પણ નિધિ એકઠી કરવા પર એક યુવકની વિશેષ સમુદાય દ્વારા હત્યા કરી દેવામાં આવી. હું તેની કડક શબ્દોમાં નિંદા કરુ છું.
હત્યાને સાંપ્રદાયિક રંગ ન આપોઃ આપ
જ્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું કે જેમણે પણ આ કર્યું છે કે તેમને કડક સજા થવી જોઇએ. તેમને જેલમાં નાંખવા જોઇએ. આપ દ્વારા કહેવામાં આવ્યું કે આ હત્યાને સાંપ્રદાયિક રંગ ન આપવામાં આવે.