જવાહર લાલ નેહરુ યૂનિવર્સિટીમાં ફી વધારાને લઇને ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને તેમના પર પોલીસની બર્બરતાનો મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો. બીજી તરફ દિલ્હી પોલીસે સોમવારે પ્રદર્શન દરમિયાન દિશા-નિર્દેશોના ઉલ્લંઘનને મામલે એફઆરઆર નોંધી છે. દિલ્હી પોલીસે 17 નવેમ્બરે પણ જેએનયૂ કેમ્પસમાં લાગેલી વિવેકાનંદની મૂર્તિને નુકશાન પહોંચાડવાના મામલામાં એફઆઇઆર નોંધી હતી.
જેએનયૂ વિદ્યાર્થીઓના વિરોદ પ્રદર્શનનો મુદ્દો ગરમાઇ રહ્યો છે
એક તરફ સંસદમાં ઉઠ્યો મામલો, પોલીસે નોંધી એફઆરઆઇ
BSP-કોંગ્રેસે જેએનયૂ મામલાની સરકારને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરી
નોંધનીય છે કે, જેએનયૂના વિદ્યાર્થીઓના સંસદ માર્ચ દરમિયાન પોલીસે સફજરજંગ મકબરા પાસે લાઠી ચાર્જ કર્યો. જેમા ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ એફઆઇઆર નોંધવાના સંબંધમાં જાણકારી આપી. તેમણે જણાવ્યું કે કાનૂનની સંબંધિત જોગવાઇ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ તેમણે આ સંબંધમાં વિસ્તૃત જાણકારી નથી આપી. જેએનયૂ વિદ્યાર્થીઓએ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી શહેરના ઘણા ભાગમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ અનુસાર આઠ કલાક ચાલેલા આ પ્રદર્શન દરમિયાન લગભગ 30 પોલીસ કર્મી અને 15 વિદ્યાર્થીઓ ઘાયલ થઇ ગયા હતા.
Delhi: Protest continues in Jawaharlal Nehru University (JNU) campus demanding complete fee roll back along with other demands. #JNUProtestspic.twitter.com/ymAi8XPPlL
મંગળવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીએ જેએનયૂ સ્ટૂડેન્ટ પર લાઠી ચાર્જ અને બર્બરતાપૂર્ણ કાર્યવાહીનો આરોપ લગાવતા સરકારથી ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે સરકારને આ નિંદનીય ઘટના માટે માફી માંગવી જોઇએ.
સંસદમાં ઉઠ્યો મુદ્દો
લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલા દ્વારા નામ બોલવા પર ઉત્તર પ્રદેશના અમરોહાના સાંસદે કહ્યું કે 'હું એક મહત્વપૂર્ણ મુદો ઉઠાવી રહ્યો છું. જવાહર લાલ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર જે પ્રકારે લાઠી ચાર્જ થયો છે. તે નિંદનીય છે. તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવી જોઇએ અને સરકાર તેના પર માફી માંગે. દિલ્હી પોલીસની બર્બરતાપૂર્વક વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરી છે. ત્યારે કોંગ્રેસ નેતા ટીએન પ્રાથપનએ જેએનયૂ સ્ટૂડન્ટ્સ પર પોલીસની કાર્યવાહીની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતા કહ્યું કે વિપક્ષ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની સાથે છે.
દિલ્હી પોલીસનો આરોપથી ઇનકાર
દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાની વાત નકારી છે. સમાચાર સૂત્રો અનુસાર, પોલીસે તે 100 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે જેમણે પ્રદર્શન દરમિયાન નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસ દ્વારા સોમવારે જાહેર નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓના કેટલાક ગૃપે આક્રમક બની રહ્યા હતા આ કારણે તેમની ધરપકડમાં લેવામાં આવ્યા.
JNU વિદ્યાર્થી અધ્યક્ષનું મીડિયા સાથે સંબોધન
જેએનયૂના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઇશી ઘોષે મીડિયાને સંબોધિત કર્યું. સંબોધનમાં તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો કે તેમણે પ્લાન અનુસાર વિદ્યાર્થી સંઘના ચાર સભ્યોને અલગ કરી દીધા. આઇશીએ કહ્યું કે પોલીસે સંસદ સુધી માર્ચ દરમિયાન લાઇટ બંધ કરી વિદ્યાર્થીઓ પર લાઠી ચાર્જ કર્યો હતો. આઇશીએ એમ પણ કહ્યું છે કે યૂનિવર્સિટીના વીસી એ ત્રણ સભ્યોની કમિટીને પણ મળવા તૈયાર નથી જેમને માનવ સંસાધન મંત્રાલયએ જ નિયુક્ત કર્યા છે.
પ્રદર્શન પર કન્હૈયા કુમારે શું કહ્યું
જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે ફી વધારા મુદ્દા પર વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, શિક્ષણ એ બંધારણીય અધિકારી છે. અને એક વિશેષાધિકાર છે. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કન્હૈયા કુમારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે, ટેક્સ આપનારના પૈસાથી 3000 કરોડ રૂપિયાની મૂર્તિનું નિર્માણ કરવામાં આવી શકે છે, તો 'શિક્ષણ માટે સબસિટી કેમ નહીં'.
જેએનયૂના વિદ્યાર્થીઓ પર સ્વતંત્ર પ્રભાર વિશે પૂછવા પર કન્હૈયા કુમારે કહ્યું કે આ આરોપ ગરીબ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ઘૃણા પેદા કરવા સમાન છે. કન્હૈયા કુમારે કહ્યું કે, સાંસદોના ફ્લેટોના ભાડામાં સબસીડી આપવામાં આવે છે. શું આ ટેક્સ આપનારના પૈસાનો દૂરપયોગ નથી?