દિલ્હીની તીસ હજારી કોર્ટની બહાર પોલીસ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. જેને લઇને આજરોજ દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની બહાર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાન ભેગા થયા છે. જવાનોએ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધી વકીલો વિરુધ્ધ પ્રદર્શન કર્યું.
દિલ્હીમાં પોલીસ બનામ વકીલ મામલો બન્યો ઉગ્ર
દિલ્હી પોલીસની મુખ્ય કચેરી સામે જવાનોનું પ્રદર્શન
તીસ હજારી કોર્ટમાં વકીલ-પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ
શું કહી રહ્યાં છે પ્રદર્શન કરી રહેલા જવાનો
પ્રદર્શન કરી રહેલા જવાનોનું કહેવું છે કે અમારી સાથે વધારે પડતું થઇ રહ્યું છે, જે સાવ ખોટુ છે. અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરીશું અને કમિશ્નર સમક્ષ રજૂઆત કરીશું. પ્રદર્શન કરી રહેલા જવાનોનું કહેવું છે કે અમે પોલીસની વર્દી પહેરવામાં ડર લાગી રહ્યો છે, કારણ કે વર્દીને જોતાં જ વકીલ પોલીસ જવાનને મારી રહ્યાં છે.
જવાનોનું કહેવું છે કે અમે માત્ર જણાવવા માગીએ છીએ કે પોલીસવાળા સાથે પણ સારી રીતે વ્યવહાર થવો જોઇએ અને કાયદાકીય રીતે સમાન રુપતી સજા મળવી જોઇએ. પ્રદર્શન કરી રહેલા એક જવાને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસતી વકીલ સતત પોલીસ અને આમ જનતા સાથે ખરાબ વર્તન કરી રહ્યાં છે અને સીનિયરો કોઇપણ કાર્યવાહી કરી રહ્યાં નથી.
Delhi: Police personnel hold protest outside Police Head Quarters (PHQ), against the clash that broke out between police & lawyers at Tis Hazari Court on 2nd November. pic.twitter.com/ObM3nFcVgF
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલી ઘટના બાદ તેના પડઘારૂપે અન્ય જગ્યાએ પણ આવી ઘટના સામે આવી હતી. દિલ્હીની જ સાકેત કોર્ટ, કડકડડૂમા કોર્ટની બહાર પોલીસ-વકીલ આમને-સામને આવી ગયા હતા. આ સાથે ઉત્તર પ્રદેશના કાનપૂરમાં પણ વકીલોએ પોલીસ જવાનો સાથે મારપીટ કરી હતી.
તીસ હજારી કોર્ટમાં કેમ પોલીસ-વકીલ વચ્ચે થયું ઘર્ષણ?
શનિવારના રોજ તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને વચ્ચે મામલો એટલો તંજ થયો હતો કે પોલીસે ફાયરિંગ કરવી પડી. ત્યારબાદ વકીલએ પોલીસ જીપ સહિત કેટલાંક વાહનોમાં આગ ચાંપી દીધી હતી અને તોડફોડ કરી હતી.