દિલ્હી હિંસા વચ્ચે શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ કમિશનરમાંથી એસ.એન શ્રીવાસ્તવની નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હવે અમુલ્ય પટનાયકની જગ્યાએ શ્રીવાસ્તવ દિલ્હીની જવાબદારી સ્વીકારશે.
નવા પોલીસ કમિશનર બનાવવા માટે ગૃહ મંત્રાલયની લીલી ઝંડી
દિલ્હીના સ્પેશિયલ કમિશનર(લૉ એન્ડ ઓર્ડર) એસ. એન. શ્રીવાસ્તવને દિલ્હીના નવા પોલીસ કમિશનર બનાવવા માટે ગૃહ મંત્રાલયની લીલી ઝંડી મળી ચૂકી છે. એ બાદ ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે આદેશ આપ્યો હતો કે કાલે તે ચાર્જ સંભાળશે.
તેમણે IPL મેચમાં ફિક્સિંગનો ખુલાસો કર્યો હતો
એસ. એન. શ્રીવાસ્તવની ગણતરી દિલ્હીના મજબૂત અધિકારીઓમાં થાય છે. આ પહેલા તે દિલ્હી સ્પેશિયલ સેલમાં રહી ચૂક્યા છે. સ્પેશિયલ સેલમાં હતા તે દરમિયાન તેમણે IPL મેચમાં ફિક્સિંગનો ખુલાસો કર્યો હતો. ત્યારે તે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલમાં વિશેષ પોલીસ આયુક્તની જવાબદારી સંભાળી રહ્યા હતા.
આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધર્યુ હતુ
દિલ્હી સીપી બનાવવતા પહેલા તેમને દિલ્હીની હિંસા બાદ સ્પેશ્યલ કમિશનર તરીકે એસ. એન. શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો હતો. CRPFના સ્પેશિયલ DG તથા AGMUT કેડરના IPS શ્રીવાસ્તવને દિલ્હીનો કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શ્રી વાસ્તવ 1985 બેચમાં AGMUT કેડરના IPS બન્યા હતા. તેઓ જમ્મુ કાશ્મીરની ઘાટીમાં હિઝબુલનો ખાત્મો બોલાવવા તરીકે જાણીતા હતા. વર્ષ 2017માં તેમણે ઘાટીમાં આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધર્યુ હતું. શ્રીવાસ્તવ NO-NONSENSE વાળા એટીટ્યૂડ માટે જાણીતા છે.