પંજાબ પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત રીતે ધમકી આપવા બદલ બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડ બાદ દિલ્હી પોલીસે પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પોલીસ તજિંદર પાલ સિંહ બગ્ગાને દિલ્હીના જનકપુર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરીને મોહાલી લઈ જઈ રહી છે.
Delhi Police register a kidnapping case after the arrest of BJP leader Tajinder Pal Singh Bagga by Punjab Police over his alleged threat to Delhi CM Arvind Kejriwal.
ઉલ્લેખનીય છે કે ,તજિંદર બગ્ગાની ધરપકડ કરવા માટે પંજાબ પોલીસના 50 પોલીસકર્મીઓ લગભગ 12 વાહનોમાં દિલ્હીના સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પહેલા કેટલાક પોલીસવાળા ઘરની અંદર આવ્યા. થોડીવાર વાત કરી. જે બાદ બહારથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઘરમાં ઘૂસી ગયા અને બગ્ગાને લઈ ગયા. ઘરપકડ દરમિયાન પંજાબ પોલીસે બગ્ગાનો મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યો હતો.
AAP की पुलिस, जेल, तानाशाही हमें ना चुप करा सकती, ना डरा सकती
सुबह से AAP के कार्यकर्ताओं की ऐसी धमकियां साफ करती है कि पंजाब पुलिस का इस्तेमाल अब केजरीवाल के विरोधियों को चुप कराने में किया जाएगा https://t.co/qRowfmZD78
કપિલ મિશ્રાએ કહ્યું- બગ્ગા સાચા સરદાર છે, ડરશે નહીં
ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે બગ્ગા સાચા સરદાર છે. તેને આવી હરકતોથી ડરાવી કે નબળો પાડી શકાતો નથી. મિશ્રાએ કહ્યું કે પંજાબ પોલીસનો ઉપયોગ કેજરીવાલની અંગત નારાજગી અને ગુસ્સાને થાળે પાડવા માટે કરવામાં આવી રહ્યો છે. આ પંજાબ અને પંજાબના જનાદેશનું અપમાન છે.
તજિન્દર બગ્ગા ના પિતાએ કહ્યું- પોલીસકર્મીઓએ મારા ચહેરા પર મુક્કો માર્યો
તજિન્દર બગ્ગાના પિતા પ્રિતપાલ સિંહે કહ્યું, "પંજાબ પોલીસના જવાનો તાજિન્દરને ખેંચીને લઈ ગયા. તેને પાઘડી પહેરવાની પણ છૂટ નહોતી. જ્યારે મેં વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો તો મને રોકીને એક રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાં મને મોઢા પર મુક્કો મારવામાં આવ્યો. પંજાબ પોલીસે મારો ફોન પણ છીનવી લીધો હતો. અરવિંદ કેજરીવાલ મારા પુત્રને બળજબરીથી ફસાવવા માંગે છે. આ પછી પ્રિતપાલ બગ્ગાના પુત્ર વિશે માહિતી મેળવવા જનકપુરી પોલીસ સ્ટેશન પહોંચ્યો.
શું છે સમગ્ર મામલો ?
પંજાબના મોહાલીમાં દિલ્હીના બીજેપી નેતા તજિન્દર બગ્ગા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. AAP પ્રવક્તા સની અહલુવાલિયાના નિવેદનના આધારે મોહાલી સાયબર ક્રાઈમ સેલમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી સની અહલુવાલિયાએ બગ્ગા વિરુદ્ધ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ IPCની કલમ 153A, 505, 505(2) અને 506 હેઠળ નોંધવામાં આવ્યો છે. આ સંદર્ભમાં બગ્ગાના એક વિવાદાસ્પદ ટ્વીટને ટાંકવામાં આવ્યું છે. જે દિલ્હી વિધાનસભામાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર કેજરીવાલના નિવેદન બાદ કરવામાં આવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે બગ્ગાએ ધમકીભર્યા સ્વરમાં એક પછી એક ટ્વિટ કર્યા.