પોલીસે શ્રદ્ધાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો જપ્ત કર્યાં છે. જપ્ત થયેલા આ હથિયારોને પોલીસે તરત જ CFSL ની તપાસ માટે મોકલી દીધેલ છે.
શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસને મળી આવ્યાં પૂરાવા
ભયંકર મર્ડર કરેલ હથિયાર થયું જપ્ત
પોલીસે હથિયારને CFSLની તપાસ માટે મોકલ્યું
દિલ્હીનાં મહરોલીમાં થયેલ શ્રદ્ધા વૉકર હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રોથી મળેલ જાણકારી અનુસાર પોલીસે શ્રદ્ધાની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયારો જપ્ત કર્યાં છે અને આ હથિયારોને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી CFSL માં તપાસ માટે મોકલી દીધેલ છે.
Mehrauli killing: Delhi Police recovers weapon allegedly used by Aaftab Amin Poonawala to cut body of his live-in partner Shraddha Walkar, say sources
પોલીસને હાથ લાગી વીંટી
આ સાથે જ પોલીસને એક વીંટી પણ પ્રાપ્ત થઇ છે જે શ્રદ્ધાની છે. જાણકારી અનુસાર આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ આ વીંટી પોતાની એક ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી હતી જે વ્યાવસાયિક ધોરણે એક સાયકોલોજિસ્ટ છે.
Shraddha murder case: Delhi Police recovered some weapons that were used to chop off Shraddha's body. Police have also recovered Shraddha's ring that Aftab had gifted to another girl whom he invited to his flat: Delhi Police Sources
પોલીસને તે હથિયાર મળી આવ્યું
શ્રદ્ધા હત્યાકાંડને હવે મહિનાથી વધુ જેટલો સમય થયો છે. પરંતુ પોલીસને તે હથિયાર જપ્ત નહોતા થયાં જેનાથી આફતાબે શ્રદ્ધાનાં 35 ટૂકડાઓ કર્યાં હતાં. આ ભયંકર હત્યાકાંડ બાદ હવે પોલીસને તે હથિયાર મળી આવ્યું છે. જો કે આ કેસમાં દરરોજ આફતાબ કોઇક નવા ખુલાસાઓ કરી રહ્યો છે જો કે પોલીસને તેની વાતો પર સંદેહ છે. જે રીતની માહિતી આફતાબ આફી રહ્યો છે તેનાંથી પોલીસને લાગે છે કે તે તેમને ભ્રમિત કરી રહ્યો છે અને ભટકાવવાનાં પ્રયાસો કરી રહ્યો છે. તેવામાં પોલીસે આફતાબનાં નાર્કો અને પોલીગ્રાફી ટેસ્ટ કરવાની પણ પરવાનગી માંગી હતી અને ટેસ્ટિંગની પ્રક્રિયા હાલમાં ચાલુ જ છે.
આરોપીનાં ચોથા ચરણની પોલીગ્રાફીની તપાસ આજે
શ્રદ્ધા વૉકર હત્યા મુદે આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ચોથા ચરણની પોલીગ્રાફીનું ટેસ્ટિંગ આજે છે. ત્યારબાદ જ નાર્કો ટેસ્ટ 5 ડિસેમ્બરનાં થઇ શકે છે. સૂત્રો અનુસાર રોહિણીમાં સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં સોમવારે અને મંગળવારે પોલીગ્રાફ ટેસ્ટનાં 2 સત્રો થશે. આફતાબ પહેલાં જ પોલીગ્રાફ તપાસનાં 3 સત્રો આપી ચૂક્યો છે. પોલીગ્રાફ ટેસ્ટને લાઇ ડિક્ટેટર ટેસ્ટનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે તેમાં રક્ત, નસ અને શ્વાસનાં દરો જેવી શારીરિક ગતિવિધિયોનાં રેકોર્ડની તપાસ કરવામાં આવે છે.