દિલ્હીની સીમાઓ પર ખેડૂતોના પ્રદર્શન સ્થળોને સોમવારે કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. પોલીસે ત્યાં સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેટની સંખ્યા વધારી દીધી છે.
દિલ્હી ઉત્તરપ્રદેશની સીમા પર કાયદાકિય વ્યવસ્થાની સ્થિતી સામાન્ય
બીજી તરફ કાલે જ રૉડ લગાવી દીધી હતી
ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા
નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓના આવન જાવનને વધારે મર્યાદિત કરવા માટે પોલીસ કર્મીઓની દેખરેખમાં મજૂરોને સિંધુ બોર્ડર પર મુખ્ય રાજમાર્ગની પાસે સિમેન્ટના બે બેરિયરની વચ્ચે આયરન રૉડ લગાવતા જોવા મળ્યા છે.
ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા
દિલ્હી હરિયાણા સીમા પર રાજમાર્ગના એક અન્ય ભાગમાં જામ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં સિમેન્ટની અસ્થાયી દિવાલ ઉભી કરવામાં આવી છે. દિલ્હી - ઉત્તર પ્રદેશની સીમા પર ગાજીપુરમાં વાહનોની અવરજવર રોકવા માટે અનેક સ્તરીય બેરીકેડ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોને પગે ચાલતા રોકવા માટે કાંટવાળા તાર લગાવવામાં આવ્યા છે.
ઘણી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચી રહ્યા
ભારતીય ખેડૂત યુનિયનના સભ્યો અને તેમના નેતા રાકેશ ટિકૈતે ગાજીપુર યુપી ગેટ પર અડેવા રહેવા અને ટિકેતની ભાવનાત્મક અપીલ બાદ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડથી ઘણી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓઓ નવેમ્બરથી દિલ્હી- મેરઠ રાજમાર્ગના એક હિસ્સા પર કાબિજ છે.
સેંકડો સુરક્ષાકર્મીઓ ત્યાં તૈનાત
ગાજિયાબાદ પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓને દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે ખાલી કરવાનું અલ્ટીમેટમ આપવાની આશંકા વધી ગઈ હતી કે પ્રદર્શનકારીઓને ગાજીપુરથી જબરજસ્તી હટાવી દેવામાં આવશે પરંતુ રાકેશ ટિકૈતની ભાવનાત્મક અપીલ પર ત્યાં ખેડૂતોનું મહેરામણ ઉમટ્યુ. પ્રોવિંશિયલ આર્મ્ડ઼ કોન્સ્ટેબુરી (પીએસસી) અને ત્વરિત કાર્યવાહી દળ (આરએએફ) સહિત સેંકડો સુરક્ષાકર્મીઓ ત્યાં તૈનાત છે.
નજર રાકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
સ્થિતિ પર નજર રાકવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વાહનોની તપાસ ચાલી રહી છે કેમ કે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી બીકેયૂના સમર્થનમાં ઘણી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
દિલ્હી ઉત્તરપ્રદેશની સીમા પર કાયદાકિય વ્યવસ્થાની સ્થિતી સામાન્ય
હરિયાણા સીમા પર સિંધુ બોર્ડરની પાસે મજુર 2 મજબૂત બેરિયરની વચ્ચે રૉડ લગાવી રહ્યા હતા. તેણે જણાવ્યું કે બીજી તરફ કાલે જ રૉડ લગાવી દીધી હતી. અસ્થાયી દિવાસ બનાવવા માટે બેરિયરની વચ્ચેના સ્થાન પર સિમેન્ટ નાંખવામાં આવી રહ્યો છે. ઈન્દિરાપુરમના સર્કલ ઓફિસર અંશુ જૈને સોમવારે કહ્યું કે દિલ્હી ઉત્તરપ્રદેશની સીમા પર કાયદાકિય વ્યવસ્થાની સ્થિતી સામાન્ય છે. તેમણે કહ્યું કે આનંદ વિહાર જનારા માર્ગ પર કેટલાક બેરિકેડ લાગવવામાં આવ્યા છે. પરંતુ બપોરે તેને હટાવી દેવાયા હતા.