પંજાબથી ચાલેલા ખેડૂતોનો કાફલો હવે રાજધાની દિલ્હી પહોંચ્યો છે. તમામ અડચણોને દુર કરતા ખેડૂતો આખરે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. ત્યારે દિલ્હીમાં પોલીસે પોતાની તૈયારી વધારી છે. રાજધાનીમાં પોલીસ સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીમાં છે. આ સાથે સરકાર પાસે પરવાનગી માંગી છે.
ખેડૂતો પોતાના હકની વાત કરી રહ્યા છે તે કોઈ આતંકવાદી નથી - રાઘવ
પોલીસે ખેડૂતોને પાછા જવા કહ્યું હતુ
ખેડુતોનું કહેવું છે કે હવે તે સીધા પીએમ સાથે વાત કરશે
દિલ્હી પોલીસે રાજ્ય સરકાર પાસે શહેરના 9 સ્ટેડિયમને અસ્થાયી જેલમાં ફેરવવા માટે પરવાનગી માંગી છે. જો દિલ્હી પ્રદર્શન વધે છે તો ખેડૂતોને આ સ્થાને લાવી શકાય છે.
ખેડૂતો પોતાના હકની વાત કરી રહ્યા છે તે કોઈ આતંકવાદી નથી - રાઘવ
આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે રાજ્ય સરકારે દિલ્હી પોલીસની અસ્થાયી જેલની અપીલને ફગાવી દેવી જોઈએ. ખેડૂતો પોતાના હકની વાત કરી રહ્યા છે તે કોઈ આતંકવાદી નથી.
પોલીસે ખેડૂતોને પાછા જવા કહ્યું હતુ
ઉલ્લેખનીય છે કે પંજાબથી નીકળેલા ખેડૂતો હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યા છે. મોટી રાત સુધી ખેડૂતો પાનીપત સુધી પહોંચ્યા હતા. હવે દિલ્હી બોર્ડરની નજીક પહોંચ્યા છે. શુક્રવારે સવારે પોલીસ અને ખેડૂતો વચ્ચે સિંધુ બોર્ડર પર દલીલ થઈ ગઈ હતી. પોલીસે ખેડૂતોને પાછા જવા કહ્યું હતુ.
ખેડુતોનું કહેવું છે કે હવે તે સીધા પીએમ સાથે વાત કરશે
પરંતુ ખેડૂતોએ પાછા જવાથી ઈન્કાર કર્યો હતો અને દિલ્હીમં રામલીલા મૈદાન જંતરમંતર જવા જીદ્દ પકડી હતી. બીજી તરફ કુષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોને 3 ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. પરંતુ ખેડુતોનું કહેવું છે કે હવે તે સીધા પીએમ સાથે વાત કરશે. ખેડૂતોના પ્રદર્શનના કારણે બોર્ડર પર જામની સ્થિતિ છે અને દરેક વાહનોની તપાસ કરાઈ રહી છે. પોલીસને ડર છે કે ખેડૂતો વાહનોમાં નાના નાના ગ્રુપ બનાવીને આવી શકે છે. આ જ કારણ છે કે પોલીસ કડકાઈથી વર્તી રહી છે. આ ઉપરાંત કેટલાક મેટ્રો સ્ટેશનમાં એન્ટી અને એક્ઝિટને બંધ કરી દેવામાં આવી છે.