દિલ્હીની તીસ હજારી કોર્ટ બહાર 2 નવેમ્બરને પોલીસ અને વકીલોની વચ્ચે જે હિંસક મુદ્દો ગરમાયો છે. જો કે, પોલીસની તમામ માગો માન્યા બાદ મુખ્યાલયની સામે પોલીસકર્મીનો ધરણા પૂર્ણ થયાં છે. પ્રદર્શનકારી ત્યાંથી ઘટવા લાગ્યા છે.
જો કે, પોલીસકર્મીઓ હવે મુખ્યાલયથી હટીને ઇન્ડિયાગેટ પહોંચવા લાગ્યા છે. ત્યાં ધરણા શરૂ થયા છે. તેની વચ્ચે હિમાચલ પ્રદેશ IPS એસોસિએશને પણ તીસ હજારી કોર્ટમાં થયેલ દિલ્હી પોલીસ પર હિંસાની નિંદા કરી છે.
વકીલો દ્વારા પોતાની વિરુદ્ધ મારપીટથી આક્રોશિત સેંકડો પોલીસકર્મી પોતાના જ મુખ્યાલયની બહાર ન્યાયની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન કરનાર પોલીસ કર્મીઓ પોતાની માંગ પર અડગ છે. ત્યારે દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશ્નર દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે પોલીસ કર્મીઓને ન્યાયનો ભરોસો અપાવતા કામ પર પરત ફરવાની અપીલ કરી.
સીનિયર અધિકારી વિશ્વાસ અપાવ્યો કે, પોલીસ કર્મીઓની તમામ માંગ પુરી કરવામાં આવશે. જોકે, કેટલાક પોલીસ કર્મીઓ ઘટના સ્થળેથી પાછા ફરી રહ્યા છે. જેથી લાગી રહ્યું છે કે જલ્દી જ પ્રદર્શન ખતમ થઇ શકે છે.
Delhi: Police personnel hold candlelight protest at Delhi Police Headquarters. pic.twitter.com/OLkoU0USvm
દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી (ક્રાઇમ) સતીશ ગોલચાએ પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મીઓને જણાવ્યું કે હાઇકોર્ટના 3 નવેમ્બરના આદેશ વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવશે. બુધવારે બપોરે 3 વાગ્યે મામલાની સુનાવણી છે, તે દરમિયાન રિવ્યૂ પિટિશન પણ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મીઓને વિશ્વાસ અપાયો છે કે ઘાયલ પોલીસ કર્મીઓનો યોગ્ય ઇલાજ થશે. આ ઉપરાંત ઘાયલ પોલીસ કર્મીઓને ઓછામાં ઓછુ 25 હજાર રૂપિયા વળતર મળશે.
દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શન કરી રહેલા પોલીસ કર્મીઓને ખુદ પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકે સંબોધિત કર્યું અને તેને કામ પર પરત ફરવાની અપીલ કરી. સીપીની અપીલ બાદ પણ પ્રદર્શન કરનાર હટ્યા નહીં. જોઇન્ટ સીપી દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે પોલીસકર્મીઓને કહ્યું કે તીસ હજારી કોર્ટમાં 2 નવેમ્બરની ઘટનામાં જે પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે, તેમને યોગ્ય સ્વાસ્થ્ય સુવિધાઓ અપાઇ રહી છે. સાથે કહ્યું કે સાકેત કોર્ટમાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મીઓ સાથે મારપીટના મામલામાં એફઆઇઆર નોંધાઇ છે અને યોગ્ય કાર્યવાહી પણ કરાશે.
જોઇન્ટ સીપી શ્રીવાસ્તવે વિરોધ પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓને વિશ્વાસ અપાવ્યો કે સાકેત કોર્ટ સહિત તમામ જગ્યાઓ પર પોલીસ વિરુદ્ધ હિંસા મામલામાં દોષી વકીલો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થશે. એમણે કહ્યું કે આરોપી વકીલોની વિરુદ્ધ સરકારી કામમાં વિઘ્ન નાંખવા સહિત કલમો હેઠળ કાર્યવાહી થશે. તીસ હજારી કાંડને લઇને સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મીઓના સસ્પેન્સન પાછુ લેવાની માંગ પર જોઇન્ટ સીપીએ કહ્યું કે આ મામલામા કાનૂનની રીતે પગલા લેવાશે.
Correction: Special Commissioner of Police Delhi, *Satish Golcha: All the policemen who were injured in #TisHazariClash will be given a compensation of at least Rs 25,000 by #DelhiPolice. I request all of you to please return to your duty points. pic.twitter.com/8C79ujGpn4
પોલીસ કર્મીઓની માંગ છે કે આરોપી વકીલો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. જે પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમનું સસ્પેન્શન પાછુ લેવામાં આવે.
31 વર્ષ પહેલીની ઘટનાને યાદ કરી કિરણ બેદીના પોસ્ટર લહેરાવાયા
વિરોધ કરી રહેલા પોલીસ કર્મીઓએ પૂર્વ મહિલા પોલીસ અધિકારી કિરણ બેદીનું પોસ્ટર લહેરાવ્યું હતું અને 31 વર્ષ પહેલાની 1988 ની ઘટનાને તાજી કરી હતી. તેમના કાર્યકાળ સમયે પોલીસે એક વકીલની ધરપકડ કરતા પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ ઘટનામાં 18 વકીલો ઘાયલ થયાં હતા. ત્યારે તાજેતરમાં પણ તીસ હજારી કેસમાં પણ થોડી તેવી ઘટના બનતા પોલીસકર્મીઓએ 31 વર્ષ પહેલાની ઘટનાને તાજી કરી હતી.
પોલીસ કર્મીઓની મુખ્ય માંગ
સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસકર્મીની પરત લેવામાં આવે
ઘાયલ પોલીસકર્મીઓ એ પ્રકારે જ સહાય ચૂકવવામાં આવે જે પ્રકારે વકીલોને આપવામાં આવી છે, એ જ પ્રકારે ઇલાજની સુવિધા
દિલ્હી હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરવામાં આવે
તે વકીલોની ઓળખ કરાય જેમણે કોન્સ્ટેબલ સાથે મારપીટ કરી
પોલીસ વેલફેયર યૂનિયન બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઇપણ સમસ્યામાં અમારા હિતોનું ધ્યાન રાખવામાં આવે
આંદોલન કરનારા પોલીસ કર્મીઓ પર કોઇ કાર્યવાહી ન કરવામાં આવે
આરોપી વકીલો પર કાર્યવાહી
હવે આ મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક રીતે કૂદી ચૂક્યું છે. જે હેઠળ દિલ્હી પોલીસ આવે છે. ગૃહ મંત્રાલયે હાઇકોર્ટમાં અરજી કરી રવિવારે તેમના આદેશ પર સ્પષ્ટીકરણની માંગ કરી છે. ગૃહ મંત્રાલયે આદેશમાં સંશોધનની માંગ કરી છે કે 2 નવેમ્બરની ઘટનાઓ પર આ આદેશ લાગૂ ન થાય. તેના પર હાઇ કોર્ટે બાર એસોસિએશનને નોટિસ મોકલી છે.