દિલ્હીના આર કે પુરમના એકતા વિહારમાં ઝેરી ગેસ લીક થતા 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જો કે પોલીસ શોધી શકી નથી કે ગેસ ક્યાંથી લીક થયો.
દિલ્હીમાં ગેસથી અનેક લોકો બેભાન થઈ ગયા
પોલીસ શોધી શકી નથી કે ગેસ ક્યાંથી લીક થયો
પોલીસ સહિત 2 ફાયરની ગાડી અને લગભગ 6 એમ્બ્યૂલન્સ સ્થળ પર પહોંચી
ગેસથી અનેક લોકો બેભાન થઈ ગયા
દિલ્હીના આર કે પુરમના એકતા વિહારમાં ગત રાતે તે સમયે ભય ફેલાયો જ્યારે કોઈએ એ અફવા ફેલાવી કે બાજુની CRPF અથવા એનએસજી કેમ્પમાંથી ઝેરી ગેસ છોડવામાં આવ્યો છે. બાદમાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકોની આંખોમાં બળતરા થવા લાગી. એટલું જ નહીં લોકો ઘરોમાંથી રસ્તા પર આવી ગયા. જ્યારે કોઈએ જણાવ્યું કે ગેસથી અનેક લોકો બેભાન થઈ ગયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે ડીસીપી ગૌરવ શર્માએ 7 લોકોને સફદરજંગ હોસ્પિટલમાં કેટ્સ એમ્બ્યુલન્સ અને પીસીઆર દ્વારા લઈ જવાની ખરાઈ કરી છે.
પોલીસ સહિત 2 ફાયરની ગાડી અને લગભગ 6 એમ્બ્યૂલન્સ સ્થળ પર પહોંચી
ત્યારે સૂચના મળતા અનેક લોકો મદદ સ્થળ પર પહોંચી ગયા અને લોકોને માસ્ક આપ્યા. જેથી ઝેરી ગેસથી લોકોને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા ન થા. બાદમાં દિલ્હી પોલીસને જાણ કરવામાં આવી. સૂચના મળતા સ્થાનિક એસએચઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા. કોઈ દુર્ઘટના ન બને તે માટે 2 ફાયરની ગાડી અને લગભગ 6 એમ્બ્યૂલન્સ પણ પહોંચી ગઈ. ત્યારે ડીડીએમએની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.
પોલીસ શોધી શકી નથી કે ગેસ ક્યાંથી લીક થયો
દિલ્હી પોલીસે સ્થળ પર પહોચી સીઆરપીએફ અને એનએસજી કેમ્પમાં જઈને તપાસ કરી. પરંતુ ગેસ લીક થયાની વાતથી ઈન્કાર કરવામાં આવ્યો છે. આ મામલો મોડી રાતે સામે આવ્યો. જ્યારે લોકો જમીને સૂવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આ બાદ લોકો ભયમાં રહ્યા અને બહાર રસ્તા પર અડી રહ્યા. આ ઉપરાંત દિલ્હી પોલીસે કહ્યું કે એક્તા વિહાર વિસ્તારમાં કોઈ ન ગેસ સિલેન્ડરમાં આગ લાગી અને ન કોઈ ઘૂમાડો નીકળ્યો છે. પોલીસ હજું પણ તપાસમાં જોડાઈ છે કે આખરે આ ગેસ લીક કહ્યાંથી થયો છે.