સુપ્રીમ કોર્ટની એક પેનલની રિપોર્ટને લઈને ભાજપ સરકાર અને દિલ્હી સરકાર ફરી આમને સામને આવી ગઈ છે.
ઓક્સિજન પર હવે આપના ભાજપ પર આરોપ
દિલ્હી સરકારે 4 ગણો વધુ ઓક્સિજન વધુ માંગ્યો
મનીષ સિસોદિયાનો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવાનો ઇનકાર
ઓક્સિજન પર હવે આપના ભાજપ પર આરોપ
સુપ્રીમ કોર્ટની એક પેનલની રિપોર્ટને લઈને ભાજપ સરકાર અને દિલ્હી સરકાર ફરી આમને સામને આવી ગઈ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દિલ્હીમાં કોરોના પિક પર હતો, ત્યારે કેજરીવાલ સરકારે જરૂરતથી વધુ એટલે કે 4 ગણો ઑક્સીજન માંગ્યો હતો. તેના કારણે બાર રાજ્યોમાં ઑક્સીજન સપ્લાય પર મોટી અસર થઈ હતી.
દિલ્હી સરકારે 4 ગણો વધુ ઓક્સિજન વધુ માંગ્યો
આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોનફેરેન્સ કરી. તેમણે કહ્યું કે કેજરીવાલમાં જુઠ્ઠું બોલવાના કારણે 12 રાજ્યોને અસર થઈ. તેના 20-25 મિનિટ બાદ જ દિલ્હીના DY CM મનીષ સિસોદિયાએ કહ્યું કે આવો કોઈ રિપોર્ટ જ નહીં. આ રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બનાવ્યો હોય તેવું લાગે છે. સંબિત પાત્રાએ કહ્યું કે "દિલ્હીમાં ઑક્સીજનને લઈને પણ રાજનીતિ થઈ છે, તેના પર અમે એક રિપોર્ટ પણ આવ્યો છે. બીજી લહેરમાં દિલ્હીમાં હાહાકાર મચેલો હતો. પણ કેજરીવાલે તેના પર રાજનીતિ કરી છે, તે આજે ઉઘાડું પડ્યું છે. ઑકિસજન પર પણ કોઈ રાજનીતિ કરી શકે છે કે કેમ? પણ કેજરીવાલે આ નાની રાજનીતિ કરી.
મનીષ સિસોદિયાનો આ રિપોર્ટ પર વિશ્વાસ કરવાનો ઇનકાર
દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે જેટલી ડિમાન્ડ હતી તેટલો ઑક્સીજન કેન્દ્ર સરકારે સપ્લાય કર્યો જ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવેલ એક પેનલના રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે કેજરીવાલ સરકારે પોતાની જરૂરતથી વધારે 4 ગણો વધુ ઑક્સીજન માંગ્યો હતો. જેના લીધે દેશના 12 રાજ્યોને ઘણી અસર થઈ હતી. તેના 20-25 મિનિટ બાદ જ દિલ્હીના DY CM મનીષ સિસોદિયાએ કહ્યું કે આવો કોઈ રિપોર્ટ જ નહીં. આ રિપોર્ટ ભાજપના હેડક્વાર્ટરમાં બનાવ્યો હોય તેવું લાગે છે. ભાજપ ખોટું બોલી રહી છે. આવો રિપોર્ટ આવ્યો ક્યાંથી? હું સામે ચાલીને કહું છું કે ભાજપ આવો કોઈ રિપોર્ટ લાવે.