દિલ્હીમાં રસી લગાવવાનો સમય પણ વધારી સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી રહેશે.
સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી રસી લઈ શકાશે
ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની જરુર
3 મહિનાની અંદર સરકાર પુરી દિલ્હીનું રસીકરણ કરાવી શકે
સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી રસી લઈ શકાશે
કોરોનાના વધતા મામલાની વચ્ચે દિલ્હી સરકાર રસીકરણમાં સ્પીડ લાવવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં હવે રોજ 1.25 લાખ લોકોને રસી લગાવવામાં આવશે. આ લક્ષ્ય મેળવવા માટે રસીકરણ કેન્દ્રની સંખ્યા બે ગણી કરવામાં આવશે. ત્યારે રસી લગાવવાનો સમય પણ વધારી સવારના 9થી રાતના 9 વાગ્યા સુધી રહેશે.
3 મહિનાની અંદર સરકાર પુરી દિલ્હીનું રસીકરણ કરાવી શકે
સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે આ સંબંધમાં આદેશ જારી કરી દીધો છે. જે 22 માર્ચથી અમલમાં મુકાશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાએ કોરોના વધતા મામલા પર ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવયું કે દિલ્હીમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા 500થી વધારીને એક હજાર કરવામાં આવશે અને રસીકરણ 12 કલાક સુધી ચાલશે. જ્યારે સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી થાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે કેન્દ્ર સરકારની પરવાનગી મળવા પર 3 મહિનાની અંદર સરકાર પુરી દિલ્હીનું રસીકરણ કરાવી શકે છે.
ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની જરુર
કેજરીવાલે ગુરુવારે કોરોનાના વધતા મામલા પર ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જણાવ્યું કે દિલ્હીમાં રસીકરણ કેન્દ્રની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવામાં આવશે. સમય અને કેન્દ્ર વધારવાથી વધારેમાં વધારે લોકોને રસી આપી શકાશે. તેમણે પણ કેન્દ્ર સરકારને પણ દિશા નિર્દેશ આપ્યા છે તે બહું વધારે કડક છે. આ કારણે નવા કેન્દ્ર ખોલવામાં સમસ્યા થઈ રહી છે. દિલ્હી સરકાર આ વિશે કેન્દ્ર સરકારને ચીઠ્ઠી લખી રહી છે. જેમાં રસીકરણના માપદંડમાં થોડી રાહત માંગી છે. આ માટે ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની જરુર છે.
દરેક કેન્દ્ર પર રોજના 200 ડોઝ આપવાનું લક્ષ્ય છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું હતું કે, રસીકરણના નિયમ મુજબ 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી ઉપરના જેઓ જૂની બિમારીથી પીડિત છે તેમને રસી લાગશે. વૈજ્ઞાનિકોના હિસાબે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી લગાવવામાં નહીં આવે. બાકી તમામ માટે રસીકરણ શરુ કરી દેવું જોઈએ. કેન્દ્ર રાજ્ય સરકારોને યુદ્ધના ધોરણે રસી લગાવવાની પરવાનગી આપે. દરેક કેન્દ્ર પર રોજના 200 ડોઝ આપવાનું લક્ષ્ય છે.
નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે તે જરુરી છે
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું, રસી અંગે સંકોચ અથવા આશંકા માટે કોઈ કારણ નથી. મેં અને મારા માતાપિતાએ પણ કોરોનાની રસી લીધી છે. રસીકરણ અંગે કેન્દ્રએ માર્ગદર્શિકા બહાર પાડી છે, પરંતુ તેમાં ઘણા બધા સંકુશો મૂકવામાં આવ્યા છે. રસીકરણને બે મહિના થઈ ચૂક્યા છે, માટે હવે રસીકરણને પૂરી રીતે ખોલી નાખવાની જરૂર છે. તેમજ કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે તે જરુરી છે.