હવે કોરોનાના દર્દીમાં સાઈટોમેગાલો વાયરસ(સીએમવી) મળવાનો ખુલાસો થયો છે.
દર્દી બની રહ્યા છે સીએમવીનો શિકાર, 1 મોત પણ નોંધાયુ
જે દર્દીઓમાં પ્રતિરોધક ક્ષમતા ઓછી છે તેમનામાં ફંગસના મામલા જોવા મળ્યા
તમામ દર્દી દિલ્હી અને તેની આસપાસના રાજ્યોથી
દર્દી બની રહ્યા છે સીએમવીનો શિકાર, 1 મોત પણ નોંધાયુ
ફંગસ બાદ દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલે હવે કોરોનાના દર્દીમાં સાઈટોમેગાલો વાયરસ(સીએમવી) મળવાનો ખુલાસો કર્યો છે. અત્યાર સુધીમાં દેશમાં પહેલા 5 દર્દી ભરતી થઈ ચૂક્યા છે. કોરોનાની સારવાર લીધા બાદ આ દર્દીઓને પેટમાં દુખાવો અને મળમાં લોહી વહેવાની સમસ્યાને લઈને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક દર્દીનું મોત થયુ છે.
જે દર્દીઓમાં પ્રતિરોધક ક્ષમતા ઓછી છે તેમનામાં ફંગસના મામલા જોવા મળ્યા
ડોક્ટરો અનુસાર કોરોના સંક્રમણના ચાલતા જે દર્દીઓને પ્રતિરોધક ક્ષમતા ઓછી છે તેમનામાં ફંગસના ઘણા મામલા અત્યાર સુધી જોવા મળ્યા છે. આ સિલસિલો સતત જારી છે. પરંતુ હવે ઓછી પ્રતિરોધક ક્ષમતા વાળા દર્દીઓમાં પણ સીએમવી સંક્રમણ મળી રહ્યું છે. જો કે અત્યાર સુધી આનું કારણ જાણી શકાયું નથી.
તમામ દર્દી દિલ્હી અને તેની આસપાસના રાજ્યોથી
હોસ્પિટલના વરિષ્ઠ ડો. અનિલ અરોડાએ જણાવ્યું કે બીજી લહેર દરમિયાન સંક્રમિતોમાં સીએમવીના મામલા અચાનક સામે આવના લાગ્યા છે. આ સ્થિતિ ગત 45 દિવસમાં જ સામે આવી છે. સારવારના 20થી 30 દિવસ બાદ દર્દી પેટમાં દુખાવા અને મળમાં લોહી વહેવાની સમસ્યા સાથે પહોંચ્યા હતા. તેવામાં 5 દર્દીઓમાં હાલ કોરોનાના સંકેત નથી. ઉપરાંત આ દર્દીને લઈને હવે ચિકિત્સકીય અધ્યયનોને જોવા મળ્યા છે તો દેશમાં અત્યાર સુધી એવા મામલા સામે નથી આવ્યા. પહેલી વાર દર્દીઓની જાણ થઈ. આ તમામ દર્દી દિલ્હી અને તેની આસપાસના રાજ્યોથી છે.
સ્ટેરોઈડ યુક્ત દવાઓના વધારે ઉપયોગનું કારણ હોઈ શકે
તેમણે કહ્યું કે ફંગસની જેમ આમાં સ્ટેરોઈડ યુક્ત દવાઓના વધારે ઉપયોગનું કારણ મળી શકે છે. કેમ કે દવા પ્રતિરોધક ક્ષમતાને દબાવી દે છે અને તેમને અસામાન્ય સંક્રમણો માટે અતિસંવેદનશીલ બનાવે છે. સાઈટોમેગાલો વાયરસ 80થી 90 ટકા ભારતીય વસ્તીમાં વગર કોઈ નુકસાન પહોંચાડે હાજર રહે છે. કેમ કે આપણી પ્રતિરક્ષા એટલી મજબૂત છે કે આને ચિકિત્સકિય રુપથી મહત્વહીન બનાવી શકે છે.
એન્ટીવાયરસ થેરાપીના માધ્યમથી સફળ સારવાર
ગંગારામ હોસ્પિટલમાં દાખલ આ 5 દર્દીઓની ઉંમર 30થી 70 વર્ષની વચ્ચે છે. ડોક્ટરોનું કહેવું છે કે એક દર્દીને ઈમરજન્સી સર્જરીની જરુરિયાત હતી. જ્યારે બીજાનું મોત થયું છે. જો કે રાહતની વાત એ છે કે ચારમાંથી 3 દર્દીઓએ એન્ટીવાયરલ થેરાપીના માધ્યમથી સારવાર સફળ રહ્યો છે.