NCRના એક રિયલ એસ્ટેટ ગ્રુપના ત્રણ હજાર કરોડથી વધુ કાળાનાણાની વાત કબૂલી છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા દરમિયાન આ વાત સામે આવી છે. સોમવારે સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ)એ આ વાત જણાવી છે.
આ ગ્રુપે અંદાજિત 3000 કરોડના કાળાનાણું હોવાની વાત માની
આ ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં સક્રિય
આ ગ્રુપના 25 ઠેકાણાઓ પર દરોડા કરવામાં આવ્યા
જોકે સીબીડીટીએ પોતાના નિવેદનમાં ફર્મના નામનો ખુલાસો નથી કર્યો. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગત સપ્તાહે ગ્રુપના 25 ઠેકાણાઓ પર દરોડા કરવામાં આવ્યા છે. આ ગ્રુપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં સક્રિય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કેશ લેઝરમાં અંદાજિત 250 કરોડ રૂપિયાના કાળાનાણાની જાણકારી મળી છે, જેને જપ્ત કરી દેવામાં આવી છે. આ ગ્રુપે કેટલીક પ્રોપર્ટી ટ્રાન્જેક્શન પર પણ ટેક્સ ભર્યો નથી. અંદાજિત 3.75 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ ગ્રુપે અંદાજિત 3000 કરોડના કાળાનાણું હોવાની વાત માની છે, સાથે જ તે નાણા પર ટેક્સ ભર્યાની પણ વાત કરી છે. દરોડા બાદ આ ગ્રુપના 32 બેન્ક લોકર પણ સીલ કરી દેવામાં આવ્યા છે.