બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બગડેલી ઓલાદ! પુત્રે ઊંઘમાં માતાપિતા-બહેનના ગળા કાપી નાખ્યાં, સંપત્તિમાં બેદખલનો બદલો લીધો
Last Updated: 04:01 PM, 5 December 2024
દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં માતાપિતા અને પુત્રીની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પુત્રે આ ટ્રિપલ મર્ડરને અંજામ આપ્યો હતો. ત્રણેયની હત્યા કર્યાં બાદ પુત્ર મોર્નિંગ વોકમાં નીકળી ગયો હતો અને પાછા વીને જાણે પોતે કંઈ જાણતો નથી એવું નાટક કર્યું હતું.
ADVERTISEMENT
પુત્રે કેમ કર્યું હતું મર્ડર
હકીકતમાં પિતાએ પુત્રને સંપત્તિમાંથી બેદખલ કર્યો હતો અને બહેન સામે તેનું અપમાન કર્યું હતું આ વાતનો તેણે બદલો લેવા માટે માતાપિતા અને બહેનની મારી નાખી હતી. પિતાએ તેને બદલે બહેનને સંપત્તિ સોંપવાનો નિર્ણય પણ કર્યો હતો તેથી પુત્રે બદલો લેવા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું અને તે પ્રમાણે તેને અંજામ આપ્યો હતો.
ADVERTISEMENT
ટ્રિપલ મર્ડરથી ખળભળાટ
દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચ્યો હતો. દેવળી ગામમાં એક ઘરમાં મેરિજ એનિવર્સરીના દિવસે જ કપલ અને તેમની પુત્રીની ઘાતકી હત્યાં થઈ હતી. તેમનો છોકરો મોર્નિગ વોકમાં ગયો હોવાથી બચી ગયો હતો ઘેર હોત તો તે પણ માર્યો ગયો હતો. કારણ કે હત્યારાનો ઈરાદો આખા ઘરને સાફ કરી નાખવાનો હતો. મૃતકોની ઓળખ રાજેશ (55), તેની પત્ની કોમલ (47) અને પુત્રી કવિતા (23) તરીકે થઈ છે. મોર્નિંગ વોકમાંથી પરત ફર્યા બાદ પુત્ર ઘરમાં પ્રવેશતા જ પરિવારના સભ્યોની લાશો જોતાં તેણે રાડારાડ કરી મૂકી હતી જે પછી બધા ભેગાં થયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે. રાજેશના પુત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પાડોશીઓએ જણાવ્યું કે સવારે સાડા પાંચ વાગ્યે તેમને હત્યાની જાણ થઈ. બુધવારે રાજેશ અને કોમલની મેરેજ એનિવર્સરી હતી. રાજેશ મૂળ હરિયાણાનો છે અને ઘણા વર્ષોથી દેવલી ગામમાં રહેતો હતો.
કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ટ્રિપલ મર્ડર બાદ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે X પર લખ્યું, 'નેબ સરાયના એક જ ઘરમાં ત્રણ હત્યા. આ ખૂબ જ પીડાદાયક અને ડરામણી છે. દરરોજ સવારે દિલ્હીના લોકો આવા ડરામણા સમાચારોથી જાગી રહ્યા છે. ગુનેગારોને છૂટા હાથ મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.