દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની નજીક આવેલા ઈલેક્ટ્રોનિક સામાનના ગોદામમાં ગત રોજ લાગેલી ભીષણ આગમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દુર્ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી.ઘટનાસ્થળે સ્થિતિનું આકલન કરવા માટે દિલ્હી સીએમ કેજરીવાલની સાથે સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને દિલ્હી પ્રશાસન, દિલ્હી ફાયર સેવા વિભાગ, દિલ્હી પોલીસના ટોપના અધિકારી પણ હાજર રહ્યા હતા.
Delhi Mundka Fire | CM Arvind Kejriwal along with Deputy CM Manish Sisodia reach the spot where a massive fire broke out yesterday in a 3-storey commercial building near Mundka metro station
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં થયેલી આ ભયંકર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 27 થઈ ગઈ છે. તો વળી હજૂ પણ 25થી 27 લોકો ગુમ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનાામાં જ્યાં 60થી વધારે લોકો ઘાયલ હોવાની પણ સૂચના મળે છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બાજૂ પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
Delhi Mundka Fire | Delhi government has ordered a magisterial enquiry into the incident. Families of the deceased will be given Rs 10 lakhs compensation while the injured will be given Rs 50,000 compensation: CM Arvind Kejriwal pic.twitter.com/MN6TmLPuiG
મીડિયા સાથે વાત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં બોડી ઘણી ક્ષતિગ્રસ્ત થઈ છે. ઓળખાણ થતી નથી. એફએસએલ દ્વારા ડીએનએ કરવામાં આવશે. જેથી ખબર પડે કે, બોડી કોની છે. ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, પીડિત પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
Delhi Mundka Fire | In the morning we have got some more remains, seems like the bodies of 2-3 people. Death toll might reach 30. The fire increased rapidly due to lots of plastic material in the building: Fire Official at the spot pic.twitter.com/9TetfTAt7N
દિલ્હી સરકારના મજિસ્ટ્રેટે તપાસના ઓર્ડર આપ્યા છે. ઘટનામાં જેના ડેથ થયા છે, તેમના પરિવારને 10-10 લાખનું વળતર આપવામાં આવશે. જે લોકો ઘાયલ થયા છે તેમને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. બે ભાઈઓની ધરપકડ થઈ છે. તપાસમાં જે પણ દોષિત હશે, તેમને છોડવામા આવશે નહીં.